જીવનમાં દરેક સુખનો આનંદ લે છે આ યોગ, જરૂર મળે છે મોટી સફળતા, આ રીતે કરો ચેક

જીવનમાં દરેક સુખ પામવાની ઈચ્છા દરેકને હોય છે.કેટલાંક લોકોની મહેનત અને કિસ્મત તેમને આ મોકો પણ આપે છે. જોતમે પણ જાણવા માંગતા હોય કે શું તમારા નસીબમાં પણ આ બધુંછે કે નહીં તો હસ્તરેખા શાસ્ત્ર દ્રારા તેને સરળ રીતે જાણી શકીએ છીએ.

જીવનમાં દરેક સુખનો આનંદ લે છે આ યોગ, જરૂર મળે છે મોટી સફળતા, આ રીતે કરો ચેક

નવી દિલ્હી:જીવનમાં દરેક સુખ પામવાની ઈચ્છા દરેકને હોય છે.કેટલાંક લોકોની મહેનત અને કિસ્મત તેમને આ મોકો પણ આપે છે. જોતમે પણ જાણવા માંગતા હોય કે શું તમારા નસીબમાં પણ આ બધુંછે કે નહીં તો હસ્તરેખા શાસ્ત્ર દ્રારા તેને સરળ રીતે જાણી શકીએ છીએ. તેના માટે હથેળીમાં કેતું પર્વતની સ્થિતિને સમજીવી પડે છે. કેતુ પર્વતને હસ્તરેખા શાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેમકે એને દ્રારા વ્યક્તિના જીવનને લઈને ખાસી સટીક ભવિષ્યવાણી કરી શકાય છે. હાથમાં કેતું પર્વત મળિબંધના ઉપર શુક્ર, અને ચંદ્ર પર્વતની વચ્ચે હોય છે. 

આ લોકોને મળે છે તમામ સુખ 
જે લોકોના હાથોમાં કેતું પર્વત સારી રીતે વિકસિત હોયછે, તેમને પોતાના જીવનમાં દરેક સુવિધાઓ અને ખૂબ પૈસા મળે છે. આ લોકો તમામ ભૌતિક સુખ ભોગવે છે. અને લક્ઝરી લાઈફ જીવે છે. 

જે લોકોના હાથમાં કેતુ પર્વત દબાયેલો હોય છે અને ખૂબ કમજોર હોય એવી વ્યક્તિ જીવનમાં બહું ઓછી તરક્કી કરી શકે છે. આ લોકોનું મોટાભાગનું જીવન ગરીબીમાં જ વિતાવે છે. 

ત્યાં કેતુ પર્વત પર ક્રોસનું નિશાન માણસને નાનપણમાં કોઈ મોટી બિમારીનો શિકાર બનાવે છે. એવા વ્યક્તિના અભ્યાસ પર પણ અસરપડે છે. 

જે લોકોના હાથમાં કેતુ પર્વત પૂર્ણ વિકસિત હોય અને ભાગ્યરેખા પણ સ્પષ્ટ હોય, એવા લોકોને પોતાની જિંદગીના તમામ સુખ મળે છે. તેમને પદ-પૈસા, માન-સન્માન, સારો પરિવાર બધું જ મળે છે. એવા લોકો ગરીબ ઘરમાં જન્મ લઈને પણ દરેક વસ્તુને પ્રાપ્ત  કરે છે અને ખૂબ ઉંચાઈઓ પર પહોંચે છે. 

(Disclaimer: આ જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news