हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લોકડાઉનનો 47મો દિવસ
લોકડાઉનનો 47મો દિવસ News
Coronavirus
‘વતનમાં મોકલવાની વાત કહી સરકાર તમને મદદ નહિ કરે..’ તેવુ કહેનાર નેતાની ધરપકડ
હાલ ગુજરાતમાં ચારેબાજુ પરપ્રાંતિયોનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. વિવિધ શહેરો અને જિલ્લામાંથી પરપ્રાંતિયો પોતાના વતન જવા નીકળ્યા છે. ત્યારે છેલ્લાં કેટલાક દિવસોમાં પરપ્રાંતિયોને લઈને ખોટી અફવા પણ ફેલાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં અફવા ફેલાવવાના મામલે જનસંઘર્ષ વિરાટ પાર્ટીના યુવા નેતા અર્જુન મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં પરપ્રાંતિયોને અફવા ફેલાવી ગભરાવતા પોલિટિકલ નેતાની ધરપકડ કરવામાં આવી છે. વટવા પોલીસે જનસંઘર્ષ વિરાટ પાર્ટીના અર્જુન મિશ્રા સહિત 5 ને ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામે ‘વતનમાં મોકલી આપવાની વાત કહી સરકાર તમને મદદ નહિ કરે....’ તેવુ કહી ગેરસમજ ઉભી કરતા હતા.
May 10,2020, 23:14 PM IST
Coronavirus
અમદાવાદથી ગોંડલ પહોંચેલ વૃદ્ધ દંપતીને કોરોના નીકળતા 37 પરિવારો ઘરમાં પૂરાયા
ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં કોરોનાના કેસનો આંકડો 63 પર પહોંચી ગયો છે. જેમા ગ્રામ્યમાં 4 કેસ અને 3 કેસ ગોંડલમાં નોંધાયા છે. ગોંડલની અક્ષરધામ સોસાયટીમાં અમદાવાદથી આવેલ વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના બાદ તંત્ર દ્વારા અક્ષરધામ સોસાયટીને પતરાઓથી બંધ કરી દેવાતાં આશરે 37 જેટલા પરિવારો ઘરમાં જ કેદ થઈ ગયા છે.
May 10,2020, 22:27 PM IST
Coronavirus
અમદાવાદી યુવકે કોરોના ટેસ્ટ કરવાનો સસ્તો અને સરળ રસ્તો શોધ્યો, X-Rayથી ઓળખાશે કોરોના
અમદાવાદના 21 વર્ષીય કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર યુવક ઉજ્જવલ પંચાલે કોરોનાના કહેર સામે એક અનોખા ડિવાઈસની શોધ કરી છે. ઉજ્જવલે એક એવી વેબસાઈટ બને છે, જેમાં કોરોના પોઝિટિવ લક્ષણો દર્દીમાં દેખાય છે કે નહિ તે આ સાઈટ બતાવી શકશે. દર્દીના XRAYની ઈમેજ વેબ સાઈટ www.ujjawal.world/covid/ ઉપર અપલોડ કરવાથી તમને માહિતી મળશે. વેબસાઈટ પર ઈમેજ અપલોડ કર્યા બાદ તમને જવાબ મળશે. કોઇપણ પ્રકારના ચિન્હો ન દેખાતા હોય તો પણ સેકન્ડ્સમાં કોરાના પોઝિટિવ દર્દીની ઓળખ થઈ શકશે.
May 10,2020, 20:45 PM IST
Coronavirus
ગુજરાતે કોરોનાના નવા કેસ અને દર્દીઓના રિકવર રેશિયોમાં રેકોર્ડ બ્રેક કર્યો, કુલ કેસ 8
લોકડાઉનના 47મા દિવસે આરોગ્ય સચિવ જયંતી રવિએ ગુજરાતીઓ માટે પોઝિટિવ સમાચાર આપ્યા છે. કોરોનાને કારણે અત્યાર સુધી રાજ્યમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ હવે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં દર્દીઓના રિકવર થવાનો રેશિયો વધ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસનો કુલો 8195 આંકડો પાર થઈ ગયો છે. 398 નવા કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતે એક સાથે નવા કેસ અને રિકવર થવાનો રેશિયો પણ બ્રેક કર્યો છે. આ અંગે જયંતી રવિએ જણાવ્યું કે, 24 કલાકમાં ગુજરાતના નવા 398 કેસ નોંધાયા છે. તો સાથે જ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2545 લોકો સાજા થયા, આજે રાજ્યમાં કુલ 454 લોકો રિકવર થયા છે. ગુજરાતમાં સાજા થવાનો રેશિયો 32.64 ટકા છે. 24 કલાકમા 21 લોકોના મોત નિપજ્યા છે.
May 11,2020, 8:12 AM IST
Coronavirus
અમદાવાદ : કોંગ્રેસનાં યુવા આગેવાન હબીબ મેવ અને ખોખરા વોર્ડના આસિ. સિટી ઇજનેરનું કોરો
કોરોના મામલે કાબૂ બહાર ગયેલા અમદાવાદ (Ahmedabad) માં ગઈકાલે 280 નવા કેસ નોંધાયા છે. રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતેથી અંદાજે 100થી વધુ દર્દીઓને રજા આપવામાં આવી છે. અમદાવાદમાં વધુ લોકો રિકવર થઈ રહ્યાં છે, ત્યારે આજે બે દુખદ સમાચાર સામે આવ્યા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનાં પૂર્વ સભ્ય અને કોંગ્રેસનાં યુવા આગેવાન એવા હબીબ મેવનુ કોરોનાનાં કારણે સિવિલમાં મૃત્યુ નિપજ્યું છે. તો ખોખરા વોર્ડના આસિસ્ટન્ટ સિટી ઇજનેરનું પણ કોરોના કારણે મોત થયું છે.
May 10,2020, 18:33 PM IST
Coronavirus
પગપાળા વતન જનારાઓને શેલ્ટર હોમમાં રાખી વતન પહોંચાડવાની કામગીરી કરાશે : શિવાનંદ ઝા
લૉકડાઉન (Corona Lockdown) ના ચૂસ્ત અમલની વિગતો આપતાં ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝા (shivanand Jha) એ જણાવ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો કે જે પગપાળા વતન રોડ માર્ગે જઈ રહ્યા છે તે અંગે તમામ એકમોને સૂચના આપવામાં આવી છે કે તેમને શેલ્ટર હોમમાં રાખીને વહીવટીતંત્રના સંકલનમાં રહીને વતન પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરે. દરેક નાગરિકો આંતર જિલ્લા હેરફેર શક્ય હોય ત્યાં સુધી ટાળે, એ આપના તથા સમાજના હિતમાં છે. કેમકે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાથી કોરોનાનો ચેપ ફેલાવાની શક્યતા વધુ છે. બિનજરૂરી અવર-જવર કરવી નહીં. અધિકૃત પાસ સાથે જ મુસાફરી કરવી અને ત્યાં પહોંચ્યા બાદ ક્વોરેન્ટાઈનમાં રહીને પૂરતી તકેદારી રાખવી અને અન્યને પણ રખાવવી.
May 10,2020, 17:52 PM IST
Coronavirus
અમીરગઢના લોકો 2015થી કોરોના નામ સાથે જીવી રહ્યાં છે, વાંચો રસપ્રદ અહેવાલ
સમગ્ર દેશ સહિત વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોના નામથી જ લોકો ફફડી રહે છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢનો લોકો વર્ષોથી કોરોના નામ સાથે જીવી રહ્યાં છે. કોરોનાના કહેર વચ્ચે અહીં કોરોના નામની હોટલ આકર્ષણનું કેન્દ્ર બની છે.
May 10,2020, 17:29 PM IST
Coronavirus
વરેલીમાં પોલીસ પર હુમલો કરનાર 15 આરોપીને કોરોના, ગામમાં ફફડાટ ફેલાયો
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે પથ્થરમારાની ઘટના સર્જાઈ હતી. જ્યારે આ મામલે પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી હતી, તે પૈકી વધુ 9 આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વરેલીમાં પોલીસ પર કરવામાં આવેલા પથ્થરમારા બાદ કુલ 200થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આગળ 6 આરોપીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે. આમ, અત્યાર સુધી કુલ 15 આરોપીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
May 10,2020, 16:24 PM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં