હવે સાળંગપુરથી કોઈ ભૂખ્યુ પાછુ નહિ જાય, મહેલને ટક્કર મારે તેવું ગુજરાતનું સૌથી મોટું રસોડું તૈયાર

Hanuman Jayanti :  આજે અને આવતી કાલે સાળંગપુરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી,,,,  ત્યારે આ દિવસે પંચધાતુ માંથી બનેલ 54 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજીની ભવ્ય મૂર્તિનું અનાવરણ કરાશે... સાથે જ આધુનિક ભોજનાલયનું પણ અમિત શાહના હસ્તે ઉદઘાટન થશે

હવે સાળંગપુરથી કોઈ ભૂખ્યુ પાછુ નહિ જાય, મહેલને ટક્કર મારે તેવું ગુજરાતનું સૌથી મોટું રસોડું તૈયાર

salangpur hanumanji Temple : સાળંગપુરને હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે. 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું આજે 5 એપ્રિલના દિવસે અનાવરણ થશે. અનાવરણની સાથોસાથ ગુજરાતનું પ્રથમ નંબરનું એક સાથે 10 હજારથી લોકો ભોજન લઈ શકે તેવું આધુનિક ભોજનાલયનું હનુમાન જયંતિના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે. તો સંસ્થાના વડા પરમ પૂજ્ય 1008 રાકેશ પ્રકાશ દાસજીના હસ્તે મૂર્તિનું અનાવરણ થશે. સુપ્રસિદ્ધ સાળંગપુર (salangpur) શ્રી કષ્ટભજન હનુમાનજી મંદિર (shree kashtabhanjan dev hanumanji mandir) માં 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું રસોડું બનાવાયું છે. ભોજનાલયમાં એક સાથે પાંચ હજાર જેટલા લોકો પ્રસાદનો લાભ લઈ શકશે. મહેલને પણ પાછળ રાખી દે તેવું હાઈટેક ભોજનાલય છે. જે પંજાબના ગોલ્ડન ટેમ્પલ જેવું મોટું આ રસોડું બનશે.

શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર શ્રી કષ્ટભજન હનુમાનજી ધામ, જ્યાં દેશવિદેશથી ભક્તો દાદાના દર્શન માટે આવે છે. અહિયા આવતા હરીભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા કરવામાં આવે છે. હાલ ખૂબ જ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન અને પ્રસાદ માટે આવતા હોય છે. જેને લઈ ભોજનાલયમાં લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે ત્યારે ભક્તોને લાઈનમાં ઉભું ના રહેવું પડે અને એક સાથે હજારો લોકો પ્રસાદ લઈ શકે તેવા હેતુ સાથે મંદિર વિભાગ દ્વારા 7 એકરમાં રૂ. ૩૫ થી ૪૦ કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનાવાયું છે. 

આ હાઈટેક ભોજનાલાયમાં એક સાથે 5 હજાર જેટલા લોકો પ્રસાદ લઈ શકશે અને શ્રદ્ધાળુઓને લાઈનમાં પણ ઉભું નહિ રહેવું પડે. ત્યારે આ ભોજનાલય બનીને તૈયાર થઈ ગયું છે. આજે તેનું લોકાર્પણ થશે. 

આ ભોજનાલયની વિશેષતા જોઈએ તો....

  • તેમાં અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. 
  • આ ભોજનાલય 7 વિઘામાં ફેલાયેલું છે. 
  • ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેર ફૂટનું  
  • ભોજનાલયકુલ 250 કોલમ પર ઊભું છે. 
  • ભોજનાલયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. 
  • મંદિર પરિસરમાંથી સીધા જ ભોજનાલયમાં જઈ શકાશે 
  • ભોજનાલયમાં શ્રદ્ધાળુઓની વધુ ભીડ ના થાય એટલે 75 ફૂટ પહોળા પગથિયાં બનાવવામાં આવશે 
  • પગથિયાંઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા 
  • અહીં ખાસ પ્રકારની કેવિટી વોલ બનાવાશે, જેથી ભોજનાલયનું અંદરનું તાપમાન ઠંડું રાખશે. એટલે કે બહારથી દીવાલો ગરમ થઈ હશે, તોપણ અંદરનું તાપમાન નીચું રહેશે 
  • ભોજનાલયમાં કુલ 4 ડાઇનિંગ હોલ છે, જેમાં જનરલ ડાઇનિંગ હોલ 110x278 ફૂટનો છે. તેમાં એકસાથે 4000 લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકશે. 
  • આ સિવાય VIP, VVIP એમ કુલ ચાર ડાઇનિંગ હળે. 
  • ભોજનાલયના લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટું પાર્કિંગ બનાવાશે. 
  • અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 85 રૂમ બનાવવામાં આવનાર છે. 
  • ભોજનાલયનું કિચન 60X100 ફૂટની જગ્યામાં બનાવવામાં આવશે. 
  • કિચન અને ડાઇનિંગ હોલ વચ્ચે 15 ફૂટની જગ્યા રાખવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કિચનમાં કોઈ અકસ્માત થાય તો તેની અસર ડાઇનિંગ હોલમાં થાય નહિ

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ દુર્ઘટનામાં વધુ એક મોટી ખબર, હજી બે ગુજરાતી લાપતા છે

ખાસ ટેકનોલોજીથી બનશે રસોઈ
આ હાઈટેક કિચનમાં અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. જેથી આ માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામા આવનાર છે. રસોઈ બનાવવા માટે ઓઈલ બેસ્ડ ટેકનોલોજીનો ઉપયોગ થશે. ઓઈલ બેઝડ રસોઈ તૈયાર કરવા માટે કિચનની બહાર એક ઓઈલ ટેન્ક હોય છે, જેની અંદર ભરેલું ઓઈલ ખાસ પ્રક્રિયા દ્વારા નક્કી કરેલા ટેમ્પરેચર સુધી ગરમ થાય છે. આ પચીએ ઓઈલ કિચનમાં આવે છે જે ડબલ લેયરના ફિક્સ વાસણોની વચ્ચે અંદરની સાઈડ ફરતું રહે છે એને લીધે વાસણની ઉપરની સપાટી ગરમ થાય છે. જેમાં કોઈ અગ્નિ કે ઈલેક્ટ્રિસિટી વગર રસોઈ સરળતાથી તૈયાર કરી શકાશે.

ભક્તોને મળશે ભોજનાલય
સાળંગપુરમાં ભગવાન હનુમાનની મૂર્તિની સાથે હાઈટેક ભોજનાલય બનાવવામાં આવ્યું છે. જેમાં એકસાથે 4000 લોકો બેસીને ડાઈનિંગ ટેબલ પર જમી શકશે. આ માટે કિચન પણ ભવ્ય બનાવાયું છે. 6 એપ્રિલના રોજ યોજાનારા ભવ્ય પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news