કેટલાક દળ સમસ્યાઓનું રાજકારણ કરે છે, અમે સમાધાનની વાત કરીએ છીએ: PM મોદી

યૂપીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ ધીમે ધીમે ઇલેક્શન મોડમાં આવી જાય છે. પીએમ નરેન્દ્ર મોદી આજે યૂપીના મહોબા અને ઝાંસીના કલ્યાણાકરી યોજનાનું ઉદઘાટન કરી રહ્યા છે. તે સમયે મહોબામાં કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. 

કેટલાક દળ સમસ્યાઓનું રાજકારણ કરે છે, અમે સમાધાનની વાત કરીએ છીએ: PM મોદી

લખનઉ: યૂપીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ ધીમે ધીમે ઇલેક્શન મોડમાં આવી જાય છે. પીએમ નરેન્દ્ર મોદી આજે યૂપીના મહોબા અને ઝાંસીના કલ્યાણાકરી યોજનાનું ઉદઘાટન કરી રહ્યા છે. તે સમયે મહોબામાં કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. 

પીએમએ કહ્યું કે 'ખેડૂતોને હંમેશા સમસ્યાઓમાં ફસાવી રાખવા જ કેટલાક રાજકીય પક્ષોનો આધાર રહ્યો છે. આ સમસ્યાઓનું રાજકારણ કરે છે અને અમે સમાધાની રાષ્ટ્રનીતિ કરીએ છીએ. કેન-બેતવા લિંકનું સમાધાન પણ અમારી જ સરકારે કાઢ્યું હતું. હવે તે માફિયાઓ પર બુલડોઝર ચલાવી રહે છે, તો કેટલાક લોકો હાય તોબા મચાવી રહ્યા છે. આ લોકો કેટલી પણ તૌબા મચાવી લે, યૂપીના વિકાસ કામ, બુંદેલખંડના વિકાસના કામ અટકવાના નથી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું 'સમય સાથે જ આ ક્ષેત્ર પાણીનો પડકાર અને પલાયનનું કેન્દ્ર કેવી રીતે બની ગયો? કેમ આ ક્ષેત્રમાં પોતાની પુત્રીઓના લગ્ન કરતાં ખચકાય છે, કેમ અહીંની પુત્રીઓ પાણીવાળા વિસ્તારમાં લગ્નની કામના કરવા લાગી. આ પ્રશ્નોના જવાબ બુંદેલખંડના લોકો જાણે છે. 

PM મોદીએ કહ્યું કે 'દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં લાંબા સમય સુધી શાસન કરનારાઓને વારંવાર બુંદેલખંડને વેરાન કરવામાં કોઇ કસર છોડી નથી. અહીંના જંગલો, સંસાધનોને કેવી રીતે માફિયાના હવાલે કર્યા છે, આ કોઇથી છૂપાયેલું નથી. 

તેમણે કહ્યું કે 'થોડા સમય પહેલાં અહીંથી ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરી હતી. થોડા વર્ષ પહેલાં મહોબાથી જ દેશની મુસ્લિમ બહેનોને વાયદો કર્યો હતો કે હું ત્રિપલ તલાકની કુપ્રથાથી મુક્તિ અપાવીશ. એ વાયદો પણ પુરો થઇ ચૂક્યો છે. 

પીએમ મોદીએ કહ્યું કે 'મહોબાની ઐતિહાસિક ધરતી પર આવીને એક અલગ જ અનુભૂતિ થાય છે. અત્યારે અમે દેશની આઝાદી અને રાષ્ટ્ર નિર્માણમાં જનજાતિય સાથીઓના યોગદાનને સમર્પિત જનજાતીય ગૌરવ સપ્તાહ પણ પણ ઉજવી રહ્યા છે. ગુલામીના આ દૌરમાં ભારતમાં નવી ચેતના જગાવનાર ગુરૂનાનક દેવજીનું આજે પ્રકાશ પર્વ પણ છે. દેશ અને દુનિયાના લોકોને ગુરૂ પૂરબની શુભેચ્છા પાઠવું છું. આજે જ ભારતની વીર પુત્રી, બુંદેલખંડની શાન, વીરાંગના રાણી લક્ષ્મીબાઇની જયંતિ પણ છે. 

પીએમ મોદીએ કહ્યું કે ગત 7 વર્ષોમાં અમે કેવી રીતે સરકારને દિલ્હીના બંધ રૂમમાંથી બહાર કાઢી દેશના ખૂણે ખૂણે લઇ આવ્યા છીએ. મહોબા તેનું સાક્ષાત સાક્ષી છે. આ ધરતી એવી યોજનાઓ, એવા નિર્ણયોની સાક્ષી રહ્યું છે, જેમણે દેશની ગરીબ મતાઓ-બહેનો-પુત્રીઓના જીવનમાં મોટા અને સાર્થક ફેરફાર કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news