9 કલાક સુધી મોત સામે ઝઝુમતી રહી મહિલા, ભૂકંપ બાદ નેપાળથી સામે આવ્યો દર્દનાક વિડીયો

Nepal Earthquake: શુક્રવારે મધરાત્રે નેપાળમાં 6.4 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ હિમાલય દેશના દૂરના પર્વતીય પ્રદેશમાં ઓછામાં ઓછા 157 લોકો માર્યા ગયા, 161 અન્ય ઘાયલ થયા અને સેંકડો મકાનોને નુકસાન થયું છે.

9 કલાક સુધી મોત સામે ઝઝુમતી રહી મહિલા, ભૂકંપ બાદ નેપાળથી સામે આવ્યો દર્દનાક વિડીયો

Nepal Earthquake Video:  નેપાળના જાજરકોટમાંથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હાજર રેસ્ક્યુ ટીમ કાટમાળ નીચે દટાયેલી એક મહિલાને બચાવવાની કામગીરી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિલા 9 કલાક સુધી ઘરના કાટમાળ નીચે દટાઈ હતી.

જ્યારે રેસ્ક્યુ ટીમ પહોંચી ત્યારે મહિલાનો અવાજ સાંભળીને તેને બચાવી લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઉત્તર ભારતમાં 3જી નવેમ્બરે રાત્રે લગભગ 11.30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વૈજ્ઞાનિકોએ તેનું કેન્દ્ર નેપાળ હોવાનું જણાવ્યું હતું. આ ભૂકંપના કારણે નેપાળમાં ભયંકર તબાહી મચી ગઈ હતી.

શુક્રવારે મધરાત્રે નેપાળમાં 6.4 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ હિમાલય દેશના દૂરના પર્વતીય પ્રદેશમાં ઓછામાં ઓછા 157 લોકો માર્યા ગયા, 161 અન્ય ઘાયલ થયા અને સેંકડો મકાનોને નુકસાન થયું છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. 2015 પછી નેપાળમાં આ સૌથી વિનાશક ભૂકંપ છે. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, ભૂકંપ શુક્રવારે રાત્રે 11.47 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર જાજરકોટ જિલ્લામાં હતું. આ સ્થળ રાજધાની કાઠમંડુથી લગભગ 500 કિલોમીટર પશ્ચિમમાં છે.

જાજરકોટ અને રુકુમ જિલ્લા ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત 
નેપાળ આર્મીના પ્રવક્તા કૃષ્ણ પ્રસાદ ભંડારીના જણાવ્યા અનુસાર, નેપાળ સેનાએ શુક્રવારે ભૂકંપ પછી તરત જ ઘટના સ્થળે બચાવ કામગીરી કરવા માટે તેના જવાનોને તૈનાત કર્યા હતા. બચાવ કાર્યકર્તાઓ શનિવારે ધરાશાયી થયેલા મકાનોના કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

સરકારી નેપાળ ટેલિવિઝન અનુસાર, પશ્ચિમ નેપાળના જાજરકોટ અને રુકુમ જિલ્લા ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા. વડાપ્રધાન સચિવાલયે જણાવ્યું કે જાજરકોટ અને રુકુમમાં આવેલા ભૂકંપના કારણે માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 157 થઈ ગઈ છે અને 161 લોકો ઘાયલ થયા છે.મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે.

લગભગ 159 આફ્ટરશોક્સ નોંધાયા
અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપમાં માર્યા ગયેલા લોકોમાં જાજરકોટની નલગઢ નગરપાલિકાના ડેપ્યુટી મેયર સરિતા સિંહ પણ સામેલ છે. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરે જણાવ્યું કે શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપ બાદ લગભગ 159 આફ્ટરશોક્સ નોંધાયા છે. બીજા ભૂકંપ અને તેમના મકાનોને સંભવિત નુકસાનના ભયથી ઘણા લોકો રાતભર બહાર રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news