અમદાવાદનું વધુ એક રેસ્ટોરન્ટ આવ્યું વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો જીવતો વંદો

અમદાવાદમાં કેટલીક હોટેલો અને રેસ્ટોરન્ટો સતત વિવાદમાં આવી રહ્યાં છે. ક્યારેક અખાદ્ય પદાર્થ ગ્રાહકોને આપી દેવામાં આવે છે તો ક્યારેક ખાવાની વસ્તુઓમાંથી જીવાતો નીકળતી રહે છે. 
 

અમદાવાદનું વધુ એક રેસ્ટોરન્ટ આવ્યું વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો જીવતો વંદો

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ  અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. હવે શહેરના એક રેસ્ટોરન્ટના મસાલા પાપડમાંથી જીવતો વંદો નીકળ્યો છે. શહેરના ડ્રાઇવીન રોડ પર આવેલી કબીર રેસ્ટોરન્ટમાં આ ઘટના બની છે. કબીર રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી સામે આવી છે. મસાલા પાપડમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવ્યા બાદ રેસ્ટોરન્ટના સંચાલકો ચૂપ થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

કબીર રેસ્ટોરન્ટની ઘટના
અમદાવાદના ડ્રાઇવઈન રોડ પર આવેલા કબીર રેસ્ટોરન્ટમાં મસાલા પાપડમાંથી જીવતો વંદો નીકળ્યો છે. મસાલા પાપડમાંથી વંદો નીકળતા ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યાં જમવા પહોંચેલા ગ્રાહકે ઓર્ડર કર્યો હતો. શરૂઆતમાં મસાલા પાપડ આવ્યો અને તેમાં વંદો નીકળ્યો હતો. ત્યારબાદ તે જમ્યા વગર ત્યાંથી નીકળી ગયા હતા. આ ગ્રાહકે રેસ્ટોરન્ટનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. 

આ પહેલા પિઝામાંથી નીકળી હતી જીવાત
શહેરમાં ખાણીપીણીની વસ્તુઓ સતત વિવાદમાં રહે છે. થોડા સમય પહેલા બોપલ વિસ્તારમાં આવેલા ફૂડ સેન્ટરમાં આવી ઘટના બની હતી. જ્યાં એક પિઝા સેન્ટરમાંથી જીવાત નીકળી હતો. બોપલ વિસ્તારમાં આવેલા પાપા લુઈસ નામના પિઝા સેન્ટરની આ ઘટના હતી. શહેરમાં વારેવારે બનતી આવી ઘટનાઓને લઈને લોકોમાં પણ રોષ જોવા મળે છે. રેસ્ટોરન્ટો ખરાબ ખાદ્ય પદાર્થની સાથે ધ્યાન રાખ્યા વગર જીવાતો થાળીમાં આપી દે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news