ગુજરાતના આ શહેરમાં દટાયેલો છે ઈજિપ્તના રાજાનો ખજાનો! કોની પાસે છે ચાવી, આ પરિવાર કરે છે દાવો

ઐતિહાસિક નગર પાટણ શહેરનો 1280મો સ્થાપના દિવસ 20 ફેબ્રુઆરી, મહાવદ સાતમને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા 25મો શૌર્ય પ્રેરક કાર્યક્રમ શહેરની જૂની શિશુ મંદિર શાળા ખાતે યોજાશે.

ગુજરાતના આ શહેરમાં દટાયેલો છે ઈજિપ્તના રાજાનો ખજાનો! કોની પાસે છે ચાવી, આ પરિવાર કરે છે દાવો

Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ: આજે ઐતિહાસ નગરી પાટણનો 1280મો સ્થાપના દિવસ છે. જી હા...પાટણની સ્થાપના વિક્રમ સંવત 802 મહા વદ -7ના રોજ વીર વનરાજ ચાવડાએ કરી હતી. વીર વનરાજ ચાવડાના મિત્ર અણહિલ ભરવાડના નામ પર પરથી અણહિલપૂર પાટણ પાડવામાં આવ્યું હતું. વિક્રમ સંવત 802થી 998 સુધી ચાવડા વંશજો એ પાટણ પર રાજ કર્યું હતું. વિક્રમ સંવત 900થી 1300 સુધી સોલંકી વંશે રાજ કર્યું. સોલંકી વંશ સમય દરમ્યાન રાજા ભીમ દેવ, સિદ્ધરાજજય સિંહ જેવા અનેક સામર્થ રાજાઓ થઇ ગયા. 

અણહિલપૂર પાટણ સાડા પાંચશો વર્ષ સુધી ગુજરાતનું પાટનગર રહેવા પામ્યું હતું. સોલંકી યુગમાં અણ હિલપૂર પાટણમાં અનેક શિલ્પ સ્થાપત્યો નિર્માણ પામ્યા. રાજા ભીમ દેવની યાદમાં રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવી હતી. આ રાણીની વાવમાં બેનમુન સ્થાપત્યોની રચના કરવામાં આવી. આ રાણીની વાવ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી છૅ. રાણીની વાવના 7 માળ જમીનની નીચે આવેલ છૅ અને તેમાં 400 મૂર્તિ કલા કૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છૅ. આજે પાટણના સ્થપાના દિન નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત સમાજ દ્રારા વીરાંજલી કાર્યક્રમ યોજવામાં આવશે. આજે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા સંકૃતિક કાર્યક્રમ નું આયોજન પણ કરવામાં આવ્યું છૅ.

પાટણનો ઇતિહાસ...
ઐતિહાસિક નગરી પાટણની સ્થાપના વીર વનરાજ ચાવડા એ વિક્રમ સંવત ૮૦૨ ના મહાવદ સાતમ ના રોજ તેઓના મિત્ર અહિલ ભરવાડના નામ પરથી અનાહીલપુર પાટણ નામ આપી નગરની રચના કરી હતી અને ત્યાર બાદ આ ઐતિહાસિક નગરીએ અનેક રાજવીઓના શાસનકાળ દરમિયાન ચઢાવ ઉતાર જોયા હતા. જેમાં વિક્રમ સંવત ૮૦૨ થી વિક્રમ સંવત ૯૯૮ એમ ૧૯૬ વર્ષ સુધી ચાવડા વંશજોએ રાજ કર્યું હતું. જેમાં અણહીલ, ખેમજ, ભુવડ જેવા વંશે થઇ ગયા. જે બૃહદ ગુજરાત તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ  સોલંકી વંશમાં મૂળરાજસિંહ સોલંકી, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ જેવા સમર્થ રાજાઓ થઇ ગયા. જેમને તેમના સમયગાળામાં અનેક સ્થાપત્યો બંધાવ્યા હતા.  

જેને આજનો વર્તમાન યુગ સોલંકી શાસનનો સુર્વણ યુગ ગણે છે, તે વિસરાતો પૈકી અનેક પ્રાચીન સ્મારકો અને મંદિરો આજે પણ અડીખમ ઉભા છે. જેમાં તે સમય દરમિયાન ભીમદેવ પહેલાના મૃત્યુ બાદ તેઓની યાદમાં પત્ની રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવી હતી. જેમાં સાત માળની વાવ ૬૪ મીટર લંબાઈ, ૨૦ મીટર પહોળાઈ અને 27 મીટર ઊંડાઈની બનાવવામાં આવી છે. જે વાવમાં રેતિયા પથ્થર પર કોતરણી કરી બેનમુન કલાકૃતિ તેમજ થાંભલાઓથી સજ્જ અકલ્પનીય વાવ બનાવવામાં આવી હતી. જે આજે વિશ્વ વિરાસતમાં સ્થાન પામી છે. ત્યારે આવા પ્રાચીન ઇતિહાસ ધરાવતા પાટણનો આજે સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવશે.

પાટણના જુના બાદીપુર ગામની સીમામાં ઇજિપ્તના રાજાએ પોતાનો ખજાનો ભૂગર્ભમાં દાટ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે. ભેમોસણ ગામના રહેવાસી અને પાટણના વેપારી સોવનજી જીવણજી ઠાકોર અને નટુજી ઠાકોરના અનુસાર તેમના માયા પરિવારના પૂર્વજો ઇજીપ્તમાં રહેતા હતા. ત્યાંના રાજવીઓનાં ખજાનાનું રક્ષણ કરતા હતા. જ્યારે ઇજિપ્ત શાસન તબક્કાવાર નાશ પામવા લાગ્યું ત્યારે રાજાએ માયા રક્ષકોને ખજાનો અને તેની ચાવી સોંપી દીધી હતી. જે ખજાનો જુના બાદીપુરની જગ્યામાં તેમની જમીનમાં ભૂગર્ભમાં સંતાડેલા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આ ઉપરાંત આ ખજાનાની ચાવી તેમની પાસે હોવાનો દાવો પણ ઠાકોર પરિવાર કરી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news