કેરી પકવતા ખેડૂતો ચિંતાતૂર! કમોસમી વરસાદથી આંબાના પાકને વ્યાપક નુકસાન

ભાવનગરમાં 4 દિવસથી અવિરત પડી રહેલ કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે..ઘોઘાના તણસા ગામના ખેડૂતોના ખેતરમાં ઊભેલા તલ, શાકભાજી સહિત બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે.

કેરી પકવતા ખેડૂતો ચિંતાતૂર! કમોસમી વરસાદથી આંબાના પાકને વ્યાપક નુકસાન

નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર જિલ્લામાં ચોમાસા બાદ સમયાંતરે થઈ રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે, શિયાળુ અને ઉનાળુ પાક માવઠા ના કારણે બરબાદ થઈ ગયો છે, સરકાર દ્વારા અગાઉ માવઠા દરમ્યાન સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ તેની રકમ પણ હજુ નથી ચૂકવાઈ ત્યાં ફરી આવેલા માવઠા ના મારે ખેડૂતોની કમર ભાંગી નાખી છે, છેલ્લા ત્રણ ચાર દિવસથી થઈ રહેલા માવઠાથી ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે, વારંવાર થઈ રહેલા માવઠા ને કારણે ખેડૂતોના ઉત્પાદન પર પણ માઠી અસર થઈ છે.

શિયાળુ પાક દરમ્યાન થયેલા નુકશાનની સહાય પણ હજુ સુધી મળી નથી ત્યાં ફરી આવેલા માવઠાના કારણે ખેડૂતોને હવે ઘર ચલાવવું પણ મુશ્કેલ બને એમ લાગી રહ્યું છે, ત્યારે વહેલી તકે નુકશાન નું વળતર ચૂકવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરની સાથે ભાવનગર જિલ્લામાં પણ છેલ્લા 4-5 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો એ વાવેલા તલ, બાજરી, જુવાર, શાકભાજી તેમજ બાગાયતી પાકોમાં આંબા અને કેળ ના પાકને વ્યાપક નુકશાન થયું છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તણસા ગામના ખેડૂત દશરથસિંહ ગોહિલે પોતાની વાડીમાં તલ, શાકભાજી અને બાગાયતી પાકોમાં આંબા નું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું, જોકે અચાનક વરસી પડેલા કમોસમી વરસાદે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે, ધોધમાર વરસાદ સાથે આવેલા ભારે પવનના કારણે કેરીનો ફાલ ખરી પડ્યો હતો, જે આંબા માથી અંદાજે દસ મણ કેરી ઉતારવા ની આશા રાખી હતી.

તેમાંથી હવે માત્ર 15 થી 20 કિલો કેરીનો ઉતારો થાય એવી શક્યતા છે, ઉપરથી કમોસમી વરસાદના કારણે કેરી પકવવા માટે પાવડર રૂપી કુદરતી સફેદ આવરણ પણ દૂર થઈ જતાં કેરી પકવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે એવી ખેડૂત દશરથસિંહે જણાવ્યું હતું, તેમજ વધારે પડતા વરસાદ ના કારણે શાકભાજી નો ફાલ પીળો પડી જતાં મજૂરો બોલાવી તેને વાડી માથી દૂર કર્યા હતા, જ્યારે તલ નો પાક પણ પલળી જતાં ઉપજ પર ખૂબ માઠી અસર જોવા મળી રહી છે.

શિયાળુ પાક લણવા ના સમયે પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, જેમાં સતત એક અઠવાડિયા સુધી પંથકમાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે મોટાભાગનો શિયાળુ પાક નષ્ટ થઈ ગયો હતો, ખેડુતોના પાકને વ્યાપક નુકશાન જતાં સરકાર દ્વારા વળતર સહાય ચૂકવવા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ તેનું વળતર હજુ ખેડૂતોના ખાતા માં પડ્યું પણ નથી ત્યાં ફરી ઉનાળુ પાક ને કમોસમી વરસાદે ઘમરોળી નાખ્યો છે, ત્યારે સરકાર વહેલી તકે રીસર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવી આપે એવી માંગ કરવામાં આવી છે.

આ પણ ખાસ વાંચોઃ  લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ
આ પણ ખાસ વાંચોઃ  
ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ
આ પણ ખાસ વાંચોઃ  Jio Best Plan: આવી ગયો છે જિયોનો સૌથી સસ્તો પ્લાન, 895 રૂપિયામાં 11 મહિના મોજ કરો
આ પણ ખાસ વાંચોઃ  iPhone 15 અંગે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો! કરોડો યુઝર્સને પડી જશે મોજ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news