ગોઝારો બુધવાર! લગ્નમાંથી પાછા ફરતા 16માંથી 4 શ્રમિકોને કાળ ભરખ્યો, 6 ગંભીર ઇજાગ્રસ્ત

માંડવી ઝંખવાવ રોડ પીકઅપ વાન અને ટ્રકનો ગોઝારો અકસ્માત સર્જાયો છે. સથવાવ ગામ નજીક બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બોલેરોમાં સવાર 4 મજૂરોના મોત નીપજ્યા છે. 

ગોઝારો બુધવાર! લગ્નમાંથી પાછા ફરતા 16માંથી 4 શ્રમિકોને કાળ ભરખ્યો, 6 ગંભીર ઇજાગ્રસ્ત

Surat Accident News: સુરતના માંડવીમાં ટ્રક-બોલેરો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં બોલેરો પિકઅપમાં સવાર કુલ 16 શ્રમિકો સવાર હતા, જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. સોનગઢના નીંદવાણાથી ઉમરપાડાના ઉમરગોત ગામે આવ્યા હતા. 

લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. માંડવી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. માંડવી પોલીસે ત્રણેય મૃતકનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી. માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની વિગતવાર ચર્ચા કરીએ તો માંડવી ઝંખવાવ રોડ પર સથવાવ ગામ નજીક બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. જેમાં બોલેરો પીકઅપમાં ઉમરપાડાથી મજુર લઇ તાપી જિલ્લામાં જઈ રહ્યા હતા. જ્યારે ટ્રક માંડવીથી ઝંખવાવ તરફ જતી હતી. ત્યારે બોલેરો પીકઅપ અને ટ્રક સામ-સામે અથડાયા હતા. 

આ અકસ્માતના કારણે બોલેરો પીકઅપમાં સવાર 1 મજુરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 3ના સારવાર દરમિયાન મોત થયા છે. 16 મજૂરો પૈકી અકસ્માતમાં કુલ 4ના મોત થયા છે અને 6 લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ છે. ત્રણેય મૃતક ઉમરપાડા તાલુકાના નીંદવાણ ગામના હોવાનું બહાર આવ્યું છે. 

મહત્ત્વનું છે કે, માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે માંડવી પોલીસે ચારેય મૃતકનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news