એસટી નિગમના કર્મચારીઓની હડતાળ પાછી ખેંચાઈ, બે દિવસે સમાધાન

એસટી કર્મચારીઓની હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે. સવારે 4 કલાકથી એસટી બસો દોડતી થઈ જશે અને લોકોને જે પારાવાર મુશ્કેલી પડી રહી હતી તે દૂર થઈ જશે. ગીતામંદિર એસટી બસ સ્ટેશન પર રાજ્ય પરિવહન નિગમના કર્મચારીઓ, ડ્રાઈવર અને કન્ડક્ટર્સ દ્વારા જિંદાબાદના નારા લગાવાયા હતા. સરકાર દ્વારા સાતમું પગારપંચ લાગુ કરવાનો સરકાર દ્વારા સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરાયો છે અને સરકારે એક સપ્તાહમાં આગળની કાર્યવાહી કરવાની લેખિતમાં બાંહેધારી આપી હતી.

Trending news