હનુમાન જયંતિના પર્વ પર સાળંગપુર મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે આજે સવારથી દાદાના દર્શન માટે ભક્તોની લાઇન જોવા મળી હતી. જેવા મંદિરના દરવાજા ખૂલ્યા કે, લોકો દાદાના દર્શન માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. મંગળા આરતીનો લાભ લેવા માટે લોકો મોટી સંખ્યામાં મંદિર પહોંચી ગયા હતા. આજે હનુમાનજી જયંતી હોઈ આખો દિવસ મંદિર ખુલ્લુ રહેવાનું છે.

Trending news