Corona: મહારાષ્ટ્રમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ, 24 કલાકમાં 24,645 કેસ, 58 લોકોના મૃત્યુ

Corona in maharashtra: મહારાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 24 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. તો કોરોનાને લીધે વધુ 58 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

Corona: મહારાષ્ટ્રમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ, 24 કલાકમાં 24,645 કેસ, 58 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ 22 માર્ચના દિવસે પણ કોરોનાનો કહેર જારી છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 24645 નવા કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન વધુ 58 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં સોમવારે 19463 દર્દીઓ સાજા થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાને માત આપનાર લોકોની સંખ્યા 22,34,330 પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં વર્તમાન રિકવરી રેટ 89.22 ટકા છે. મહારાષ્ટ્રમાં કેસ ફેટેલિટી રેટ 2.13 ટકા છે. કેસ ફેટેલિટી રેટનો મતલબ છે કે 100 દર્દીઓમાંથી કેટલા લોકોના મૃત્યુ થયા. 

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 1,84,62,030 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી કુલ 25,04,327 લોકો સંક્રમિત આવ્યા છે. મહારાષ્ટ્રમાં વર્તમાનમાં 10,63,077 લોકો હોમ ક્વોરેન્ટાઈન છે. તો સરકારી સંસ્થાઓમાં 11,092 લોકો ક્વોરેન્ટાઈન છે. મહારાષ્ટ્રમાં આશરે 2,15,241 એક્ટિવ કોરોનાના દર્દીઓ છે. 

મુંબઈમાં પણ BMC એ નિયમો કડક કરી દીધા છે. માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 44 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. BMCના અધિકારીઓએ 20 માર્ચે જ માસ્ક ન પહેરવા બદલ 25 લાખનો દંડ વસૂલ કર્યો છે. કોરોનાને જોતા રેલવે સ્ટેશન, બસ સ્ટેશનથી લઈને એરપોર્ટ પર આવતા-જતા યાત્રીકો પર આકરી નજર રાખવામાં આવી રહી છે. મહત્વનું છે કે માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના અડધાથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. 

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં રવિવારના દિવસે 30535 નવા કોરોના કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 99 લોકોના મૃત્યુ થયા હતા.  માત્ર મુંબઈમાં જ 3775 કેસ નોંધાયા હતા. મુંબઈની રાહ પર હવે નાગપુર ચાલી રહ્યું છે. નાગપુરમાં પણ 3614 કેસ સામે આવ્યા હતા. તેનાથી માહિતી મળે કે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ કેટલી ભયાનક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news