Budget 2025 : બજેટમાં મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 10 મોટી જાહેરાત, વાંચવાનું ચૂકશો નહિ

Budget 2025 Big Announcement : મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણકાલીન સામાન્ય બજેટ આજે રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું 8મું બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણની શરૂઆતની લાઇનમાં મધ્યમ વર્ગનો ઉલ્લેખ કર્યો છે. બજેટ ભાષણ પહેલા પીએમ મોદીએ આ બજેટને જ્ઞાન બજેટ ગણાવ્યું. ત્યારે આ બજેટમાં મધ્યમવર્ગીય લોકોને શું મળ્યું તે જોઈ લો

Budget 2025 : બજેટમાં મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 10 મોટી જાહેરાત, વાંચવાનું ચૂકશો નહિ

Budget 2025 income Tax : નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2025 રજૂ કર્યું. બજેટમાં દરેક વિભાગનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મોદી સરકારનું બજેટ ગરીબી, યુવાનો, ખેડૂતો અને ગરીબો પર કેન્દ્રિત છે. નાણાપ્રધાને પોતાના બજેટની શરૂઆતમાં મધ્યમ વર્ગનો ઉલ્લેખ કરતા જ મધ્યમ વર્ગ માટે સસ્તી અને મોંઘી વસ્તુઓની યાદી જાહેર કરી એટલું જ નહીં, આ સાથે તેમણે સૌથી મોટી જાહેરાત કરી, જેની મધ્યમ વર્ગ રાહ જોઈ રહ્યો હતો. 

બજેટમાં અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાતો

  • 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ આવકવેરો લાગશે નહીં.
  • નવું આવકવેરા બિલ આવતા અઠવાડિયે લાવવામાં આવશે. આ ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ્સ પછીથી સમજાવવામાં આવશે.
  • કેન્સરની દવાઓ સસ્તી થશે, છેલ્લા 4 વર્ષના IT રિટર્ન એકસાથે ભરવામાં આવશે.
  • વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
  • આવકવેરા ભરવાની મર્યાદા 2 વર્ષથી વધારીને 4 વર્ષ કરવામાં આવી છે.
  • આગામી છ વર્ષ સુધી દાળ અને તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
  • કિસાન ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે.
  • બિહારમાં મખાના બોર્ડની રચના થશે, નાના ખેડૂતો અને વેપારીઓને તેનો ફાયદો થશે.
  • નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ, પ્રથમ વર્ષમાં 10 લાખ કાર્ડ જારી કરવામાં આવશે.
  • MSME માટે લોન ગેરંટી કવર 5 કરોડથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે, 1.5 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે.
  • સ્ટાર્ટઅપ માટે લોન રૂ. 10 કરોડથી વધારીને રૂ. 20 કરોડ કરવામાં આવશે. ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે.

12 લાખ સુધીની કમાણી પર કોઈ ટેક્સ નથી
નાણામંત્રીએ આ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી છે. હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 1, 2025

 

ગંભીર રોગો માટેની 36 દવાઓ ડ્યૂટી ફ્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 36 જીવનરક્ષક દવાઓ પરનો ડ્યૂટી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે. કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે. 6 જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે.

સ્ટાર્ટઅપ્સ માટે ફંડની જાહેરાત કરી
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સ્ટાર્ટઅપ માટે સરકારના 10,000 કરોડ રૂપિયાના યોગદાનથી ભંડોળની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર પ્રથમ વખત પાંચ લાખ મહિલાઓ, એસસી અને એસટી ઉદ્યોગ સાહસિકોને 2 કરોડ રૂપિયાની લોન આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news