GUJARAT CORONA UPDATE: નવા 39 કેસ, 70 દર્દી સાજા થયા એક પણ દર્દીનું મોત નહી

ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. તો બીજી તરફ સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 39 કેસ જ નોંધાયા છે. રાજ્યમાં સાજા થવાના દર પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. આજે કોરોનાને કારણે કુલ 70 દર્દીઓ સાજા થયા અત્યાર સુધીમાં કુલ 8,13,743 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાને મોરચે પણ સરકાર મક્કમતાથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 2,73,547 લોકોને રસી આપવામાં આવી છે. 
GUJARAT CORONA UPDATE: નવા 39 કેસ, 70 દર્દી સાજા થયા એક પણ દર્દીનું મોત નહી

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. તો બીજી તરફ સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 39 કેસ જ નોંધાયા છે. રાજ્યમાં સાજા થવાના દર પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. આજે કોરોનાને કારણે કુલ 70 દર્દીઓ સાજા થયા અત્યાર સુધીમાં કુલ 8,13,743 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાને મોરચે પણ સરકાર મક્કમતાથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 2,73,547 લોકોને રસી આપવામાં આવી છે. 

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ હાલ 606 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 07 લોકો વેન્ટિલેટર પર છે. 599 સ્ટેબલ છે. 8,13,743 નાગરિકોને ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. 10074 નાગરિકોનાં અત્યાર સુધી મોત નિપજ્યાં છે. જો કે સારી બાબત છે કે કોરોનાને કારણે આજે એક પણ મોત નિપજ્યું નથી. એક પણ જિલ્લામાં ડબલ ડિજીટમાં કેસ આવ્યો નથી. 

જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 146ને રસીનો પ્રથમ અને 11372 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉમરના 47136 લોકોને રસીનો પ્રથમ અને 70414 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 18-45 વર્ષના 138064 ને રસીનો પ્રથમ અને 6415 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આજના દિવસમાં કુલ 2,73,547 લોકોનું આજના દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે. 2,90,27,804 લોકોનું અત્યાર સુધીમાં કુલ રસીકરણ થઇ ચુક્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news