DEOની અનોખી પહેલ: આ નંબર પર મેસેજ કરવાથી વાલી અને વિદ્યાર્થીઓની દરેક સમસ્યાનું થશે સમાધાન

DEO રોહિત ચૌધરીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમમાં ઓફીસ નંબર ઉપરાંત અમે સારથી હેલ્પલાઈન વોટ્સએપ નંબર શરૂ કર્યો છે. વિદ્યાર્થીને પરીક્ષા લગતી કોઈ સાયકોલોજીકલ સમસ્યા છે તો તેનું નિરાકરણ આપવામાં આવશે.

DEOની અનોખી પહેલ: આ નંબર પર મેસેજ કરવાથી વાલી અને વિદ્યાર્થીઓની દરેક સમસ્યાનું થશે સમાધાન

અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદ શહેરની શાળાઓને લગતી સમસ્યાના નિરાકરણ માટે DEO દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેર DEO એ વાલી અને વિદ્યાર્થીઓ માટે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. હવેથી વોટ્સએપ હેલ્પલાઈન નંબર 9909922648 પર વાલીઓ અને વિદ્યાર્થીઓ સમસ્યા અને રજૂઆત કરી શકશે. વોટ્સએપ હેલ્પલાઈન નંબર પર વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાની સમસ્યા અને રજૂઆત, શાળાને લગતા પ્રશ્નો અને તેનું નિરાકરણ આ વોટ્સએપ મેસેજથી મળશે. 

DEO રોહિત ચૌધરીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમમાં ઓફીસ નંબર ઉપરાંત અમે સારથી હેલ્પલાઈન વોટ્સએપ નંબર શરૂ કર્યો છે. વિદ્યાર્થીને પરીક્ષા લગતી કોઈ સાયકોલોજીકલ સમસ્યા છે તો તેનું નિરાકરણ આપવામાં આવશે. વિદ્યાર્થીને કોઈ માર્ગદર્શન લેવું હોય કે કોઈ મુશ્કેલી હોય તો તે માટે વિષય વસ્તુના તજજ્ઞો, નિષ્ણાતોના માધ્યમથી માહિતી મળશે.

આરટીઈના વિદ્યાર્થીઓને લગતી અથવા શિષ્યવૃત્તિને લગતી સમસ્યા અમારા સુધી મોકલી શકાશે. વાલીઓને DEO કચેરી સુધી લાંબા ન થવું પડે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news