Corona: ગુજરાતના કયાં શહેરોમાં દિવસના બંધ બાદ રાત્રિ કર્ફ્યૂ, જાણો તમારું સિટી છે કે નહીં

ગુજરાતમાં કોરોના કહેરની (Gujarat Corona Cases) ચેઈન તોડવા માટે સરકાર દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કે રાજ્યમાં લોકડાઉન (Lockdown In Gujarat) લગાવવામાં આવશે નહીં

Corona: ગુજરાતના કયાં શહેરોમાં દિવસના બંધ બાદ રાત્રિ કર્ફ્યૂ, જાણો તમારું સિટી છે કે નહીં

ઝી મીડિયા/બ્યૂરો: ગુજરાતમાં કોરોના કહેરની (Gujarat Corona Cases) ચેઈન તોડવા માટે સરકાર દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કે રાજ્યમાં લોકડાઉન (Lockdown In Gujarat) લગાવવામાં આવશે નહીં. પરંતુ 29 સહિત અન્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ (night curfew) લગાવવામાં આવશે. આ ઉપરાત દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની દૂકાનો બંધ રાખવામાં આવશે.

રાજ્યમાં અગાઉ જે 8 મહાનગરો સહિત 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ હતો. જો કે, આ 29 શહેરો ઉપરાંત ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર અને કડી તથા વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ રહેશે. આ 36 શહેરોમાં તા. 6 મે 2021 ગુરૂવારથી તા. 12 મે 2021 બુધવાર સુધી આ રાત્રી કર્ફ્યૂના અમલ સહિત વધારાના નિયંત્રણો મૂકવાનો મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

ત્યારે અહીં જાણો કયા કયા શહેરમાં રાત્રી કર્ફ્યૂ અને દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની દૂકાનો બંધ રાખવામાં આવશે.

ઉત્તર ગુજરાતનાં કયાં શહેર?

1 ગાંધીનગર
2 પાટણ
3 મહેસાણા
4 હિંમતનગર
5 પાલનપુર
6 ડીસા
7 રાધનપુર
8 વિસનગર
9 મોડાસા
10 કડી

મધ્ય ગુજરાતનાં કયાં શહેર?

1 અમદાવાદ
2 વડોદરા
3 આણંદ
4 નડિયાદ
5 ગોધરા
6 દાહોદ
7 વિરમગામ
8 છોટાઉદેપુર

દક્ષિણ ગુજરાતનાં કયાં શહેર?

1 સુરત
2 ભરૂચ
3 નવસારી
4 વલસાડ
5 વાપી
6 અંકલેશ્વર

સૌરાષ્ટ્ર-કચ્છનાં કયાં શહેર?

1 રાજકોટ
2 ભાવનગર
3 જામનગર
4 જૂનાગઢ
5 ગાંધીધામ
6 ભુજ
7 મોરબી
8 સુરેન્દ્રનગર
9 અમરેલી
10 પોરબંદર
11 બોટાદ
12 વેરાવળ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news