ચોટીલાના ચોરવીરા ગામનો જવાન જમ્મુ-કાશ્મીરમાં થયો શહીદ, સીએમે આપી શ્રદ્ધાંજલિ

જમ્મુ-કાશ્મીરમાં દેશની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થયા છે.
 

ચોટીલાના ચોરવીરા ગામનો જવાન જમ્મુ-કાશ્મીરમાં થયો શહીદ, સીએમે આપી શ્રદ્ધાંજલિ

સુરેન્દ્રનગરઃ જમ્મુ-કાશ્મીરમાં દેશની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થયા છે. આ જવાન ફરજ દરમિયાન શહીદ થયો છે. ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા જમ્મુ-કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેમને ગોળી વાગતા શહીદ થયા છે. 
સુરેન્દ્રનગર 

દેશની સેવા કરવા દરમિયાન શહીદ થતા પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લહેર જોવા મળી રહી છે. આ જવાનના પાર્થિવ શરીરને આવતીકાલે વતન ચોરવીરા લાવવામાં આવશે. ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

દેશ માટે બલિદાન આપનાર આ વીર જવાનના આપણે સર્વે હંમેશા ઋણી રહીશું.

પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અને પરિજનોને શક્તિ અર્પે.

ૐ શાંતિ...

— Vijay Rupani (@vijayrupanibjp) October 21, 2020

મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
દેશની સેવા માટે ફરજ બજાવતા ગુજરાતના જવાન જમ્મુ-કાશ્મીરમાં શહીદ થતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news