Kutch tourism News

કચ્છ ફરવા જાઓ તો આ પરંપરાગત રમત જરૂર જોજો, WWF નો ખેલ ભૂલી જશો
Kutch Tourism રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દર વર્ષે પશુ મેળાનું આયોજન કરાય છે. જ્યાં માત્ર કચ્છ જ નહીં પરંતુ ગુજરાતના અન્ય પ્રાંતમાંથી લોકો આવતા હોય છે. બન્નીના હોડકો ખાતેના આ દ્વિદિવસીય પશુમેળામાં ગમ્મત ખાતર કુશ્તી જેવી રમત રમાડવામાં આવ્યા છે. જેને બખ્ખ મલાખડો કહેવાય છે. કચ્છી રમત બખ મલાખડો ભારતીય સંસ્કૃતિ મુજબ એક દ્વંદ્વ યુદ્ધ છે. જેમાં બુદ્ધિની સાથે શારીરિક ક્ષમતા અને ખેલદિલીના સમન્વય સાથે રમત રમાય છે. જેમાં કચ્છની કોમી એકતા જોવા મળે છે. આબખ મલાખડો કચ્છની WWF કહેવાય છે. આ દરેક હરિફાઇના વિજેતાઓને રૂપિયા 2000થી રૂપિયા 10,000 સુધીના ઇનામો પણ આપવામાં આવે છે. ટીવીમાં જોવાતી WWF કરતા અહીં રમાતી આ મલ્લ કુસ્તી ગામડાઓના લોકોમાં મનોરંજનનું આગવું સ્થાન ધરાવે છે, જેને નિહાળવા દૂરદૂરથી લોકો આવે છે. 
Dec 20,2022, 17:06 PM IST
કચ્છ જઈને આ મીઠાઈ ન ખાધી, તો સમજો કે પ્રવાસ અધૂરો, હાઈવે પર લોકોના ટોળા જામે છે
Kutch Tourism રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ઠંડી આવે એટલે ગુજરાતના છેડાવાનો જિલ્લો કચ્છની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. કચ્છના રણનો નજારો માણવા મોટી સંખ્યામા પ્રવાસીઓ આવી પહોંચે છે. કચ્છ જઈએ એટલે દાબેલી અને ગુલાબપાક યાદ આવે. પરંતુ કચ્છની વધુ એક ખાણીપીણી હોટ ફેવરિટ છે. કચ્છ જઈને આ મીઠાઈ ન ખાધી, તો સમજો કે પ્રવાસ અધૂરો છે. કચ્છના બન્ની વિસ્તારનો પ્રખ્યાત કચ્છી મીઠો માવો કે જે કચ્છના બન્ની વિસ્તારના ગામો ભીરંડીયારા, હોડકો, ધોરડો ગામના માલધારીઓ દ્વારા બનાવવામાં આવતો હોય છે. કોરોનાકાળમાં માવાનું વેચાણ ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું. પરંતુ હાલમાં રણોત્સવ શરૂ થતાં ફરીથી માલધારીઓને આર્થિક ફાયદો થઈ રહ્યો છે અને રોનક છવાઈ ગઈ છે. રણોત્સવનો પ્રારંભ થતાં મીઠા માવાનું વેચાણ વધ્યું છે.   
Jan 4,2024, 9:12 AM IST
કચ્છનું પ્રખ્યાત માતાનો મઢ આવું ભવ્ય બનશે, વિકાસ બાદ કચ્છનો ઇતિહાસ ફરીથી લખાશે
Kutch Tourism રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના યાત્રાધામ માતાના મઢમાં ગુજરાત સરકારના પ્રવાસન યાત્રાધામ બોર્ડ દ્વારા 32.71 કરોડના ખર્ચે ચાચરકુંડ અને ખટલા ભવાની મંદિરેથી વિકાસકામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મા આશાપુરાના દર્શને 2017ની ચૂંટણી નિમિત્તે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુવિધાસભર મોટું યાત્રાધામ બનાવવા માટે વચનો આપ્યા હતા. ત્યારે ચાર પ્રોજેક્ટના રૂપમાં શરૂ કરવામાં આવેલા આ કામો બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર મંદિરના સન્મુખ બનાવાશે. અદ્યતન અન્નક્ષેત્ર, મંદિરની ચારે દિશામાં પ્રદક્ષિણા માર્ગ, એક હજાર દિવાની દીપમાળા, વિશાળ પાર્કિંગ બનાવવામાં આવશે. એટલું જ નહીં છેક ચાચરાકુંડ સુધીનો મુખ્ય માર્ગ 29 મીટર પહોળો કરવામાં આવશે. સાથે જ રૂપરાઇ તળાવનું નવીનીકરણ કરી હમીરસર જેવું બનાવવાની પણ યોજના છે. આ રૂપરાઈ તળાવમાં બોટિંગ વ્યવસ્થા ને પણ આ વિકાસશીલ યોજનામાં આવરી લેવામાં આવશે.
Dec 15,2022, 10:19 AM IST

Trending news