₹4240000000 ની સંપત્તિની માલિક છે આ મહિલા, 400 રૂમ, સોના-ચાંદીવાળા ઘરમાં રાજા-મહારાજા જેવો ઠાઠ
Maharani Priyadarshini Raje Scindia: પ્રિયદર્શની જ્યોતિરાદિત્ય સિંધિયાને પસંદ હતા, તેમના માતા અને મહારાણી માધવી રાજેને પહેલા જ પસંદ આવી ગઈ હતી. પરિવારની મંજૂરીથી 12 ડિસેમ્બર 1994ના જ્યોતિરાદિત્ય અને પ્રિયદર્શનીના લગ્ન થયા હતા.
મહારાણી માધવી રાજેની પસંદ
પ્રિયદર્શની જ્યોતિરાદિત્ય સિંધિયાને પસંદ હતા, તેમના માતા અને મહારાણી માધવી રાજેને પહેલા જ પસંદ આવી ગઈ હતી. પરિવારની મંજૂરીથી 12 ડિસેમ્બર 1994ના જ્યોતિરાદિત્ય અને પ્રિયદર્શનીના લગ્ન થયા હતા.
સુંદરતા એટલી કે દેશની 50 સુંદર મહિલાઓમાં સામેલ
મહારાણી પ્રિયદર્શની રાજે સિંધિયા દેખાવમાં સુંદર છે. તે એટલી સુંદર છે કે તેનું નામ દેશની 50 સુંદર મહિલાઓમાં સામેલ છે. તેને વર્ષ 2012માં ફેમિનાની ભારતની ટોપ 50 સૌથી સુંદર મહિલાઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા.
મહારાણીનો પહેરવેશ
માત્ર સુંદરતા જ નહીં તેમણે પોતાના પહેરવેશથી પણ બધાને પ્રભાવિત કર્યાં છે. તેને વર્ષ 2008માં Verve ના બેસ્ટ ડ્રેસ્ડ 2008ની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા.
સૌથી પહેલા પરિવાર
પ્રિયદર્શની રાજે સિંધિયા માટે તેનો પરિવાર સૌથી પહેલા છે. તેની પુત્રી અને રાજકુમારી અનન્યા રાજે સિંધિયા છે. તો પુત્ર મહાઆર્યમન સિંધિયા રાજપરિવારનો વારસો અને કારોબાર સંભાળી રહ્યો છે.
શું કરે છે મહારાણી
મહારાણી પ્રિયદર્શિની રાજે સિંધિયા સિંધિયા પરિવારનો વારસો તેમજ પારિવારિક વ્યવસાયને સંભાળી રહ્યા છે. આ ઉપરાંત તેઓ તેમના પતિની રાજકીય સફરમાં પણ પૂરો સહયોગ આપે છે. ચૂંટણી પ્રચાર હોય કે પ્રચાર, પ્રિયદર્શિની રાજે તેમના પતિ જ્યોતિરાદિત્ય સિંધિયાની રાજકીય કારકીર્દિને આગળ વધારવા માટે એક પગલું આગળ વધે છે. આ સિવાય રાણી સામાજિક કાર્યોમાં પણ આગળ છે.
મહારાણીની નેટવર્થ
જ્યોતિરાદિત્ય સિંધિયાના ચૂંટણી એફિડેવિટ મુજબ તેમની પાસે લગભગ 40.17 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જોકે, રાજવી પરિવારના સભ્ય સિંધિયાના નામે 424 કરોડ રૂપિયાની જંગમ અને અચલ સંપત્તિ છે. જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે 12 કરોડ રૂપિયાની કિંમતના જેમ્સ અને જ્વેલરી છે, જે તેમને વારસામાં મળી છે.
પીયર પણ ધનવાન
તેમની પત્ની પ્રિયદર્શિની રાજે પાસે 14.18 લાખ રૂપિયાની સ્થાવર મિલકત છે. આ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયરના જય વિલાસ પેલેસના માલિક છે. રાણીના માતૃ પરિવાર ગાયકવાડ રાજ પરિવારની કુલ સંપત્તિ આશરે રૂ. 20,000 કરોડ છે.
રહેવા માટે જય વિલાસ પેલેસ
ગ્વાલિયરનો જય વિલાસ પેલેસ સિંધિયા પરિવારનો શાહી મહેલ છે, જ્યાં તેઓ મહેલના એક ભાગમાં પરિવાર સાથે રહે છે. એક ભાગને સંગ્રહાલય તરીકે વિકસાવવામાં આવ્યો છે. 400 રૂમના આ મહેલની કિંમત 4,000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
કોણ છે પ્રિયદર્શની રાજે સિંધિયા
સિંધિયા નામ સાંભળતા તમે સમજી ગયા હશો કે આ સંબંધ સિંધિયા પરિવાર અને મોદી સરકારમાં મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે છે. આ છે ગ્વાલિયરના રાજ પરિવાર સિંધિયા પરિવારના મહારાણી પ્રિયદર્શની રાજે સિંધિયા. સાસરી અને પીયર બંને રાજ પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
ગુજરાત સાથે કનેક્શન
પ્રિયદર્શની રાજેનો જન્મ ગુજરાતમાં ગાયકવાડ મરાઠા રાજપરિવારમાં થયો હતો. ગાયકવાડ રાજ પરિવારની રાજકુમારીના પિતા કુમાર સંગ્રામ સિંહ ગાયકવાડ વરોડાના રાજા પ્રતાપ સિંહ ગાયકવાડના પુત્ર હતા. તો પ્રિયદર્શનીના માતા પણ નેપાળના રાજપરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. તેણે શરૂઆતી અભ્યાસ ફોર્ટ કોન્વેસ્ટ સ્કૂલ, મુંબઈમાં કર્યો અને ત્યારબાદ સોફિયો કોલેજ ફોર વુમનમાં તેણે અભ્યાસ કર્યો હતો.
પહેલી નજરમાં થઈ ગયો હતો પ્રેમ
જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શનીની પ્રથમ મુલાકાત વર્ષ 1991મા દિલ્હીમાં થઈ હતી. પ્રથમ નજરમાં સિંધિયાને પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ બંનેએ થોડા વર્ષો એકબીજાને ડેટ કર્યું. સિંધિયાએ સ્પષ્ટ કહ્યું કે પ્રથમ દિવસથી હું જાણતો હતો કે પ્રિયદર્શની મારા માટે બની છે, તે એક છે જેની સાથે હું લગ્ન કરવા ઈચ્છીશ.
કેટલો ખાસ છે જયવિલાસ પેલેસ
12 લાખ 40 હજાર 771 ચોરસ ફૂટમાં બનેલા આ મહેલના દરબાર હોલની દિવાલો અને છત સંપૂર્ણ રીતે સોના, હીરા અને ઝવેરાતથી શણગારવામાં આવી હતી. મહેલના દરબાર હોલની છત પર વિશ્વનું સૌથી ભારે ઝુમ્મર લગાવવામાં આવ્યું છે. આ ઝુમ્મરનું વજન સાડા ત્રણ હજાર કિલો છે. આ ઝુમ્મરને લટકાવતા પહેલા, કારીગરોએ છતની મજબૂતાઈ ચકાસવા માટે છત પર દસ હાથી ગોઠવ્યા હતા.
ચાંદીની સુંદર ટ્રેન
જયવિલાસ પેલેસનો શાહી ડાયનિંગ હોલ રાજા-મહારાજાની આલીશાન જીવનશૈલીને દર્શાવે છે. મહેલમાં ભોજન દરમિયાન પિરસવા માટે ચાંદીની સુંદર ટ્રેન છે. ડાયનિંગ ટેબલ પર પાટા લાગેલા છે.
Trending Photos