Baba Siddiqui: NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા, સારવાર દરમિયાન મોત, બે શૂટરની ધરપકડ

NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આજે રાત્રે 9 વાગ્યાની આસપાસ બદમાશોએ તેમના પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

Baba Siddiqui: NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા, સારવાર દરમિયાન મોત, બે શૂટરની ધરપકડ

Firing on NCP leader Baba Siddiqui: NCP નેતા બાબા સિદ્દીકી પર ફાયરિંગના સમાચાર મળી રહ્યા છે. રિપોર્ટ અનુસાર અજાણ્યા શખ્સોએ તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સોએ તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાંથી એક તેમની છાતીમાં વાગી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી - સીએમ શિંદે
સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે આ હત્યામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપીની શોધ ચાલી રહી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ યુપી-હરિયાણાના શૂટર છે. આ કેસમાં આરોપીઓ સામેનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. તેમણે મુંબઈના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરાર આરોપીની શોધમાં UP STF અને હરિયાણા પોલીસની CIAનો સંપર્ક કરવામાં આવ્યો છે, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

દિલ્હી પોલીસ પણ તપાસમાં લાગી
મુંબઈના બાબા સિદ્દીકી ફાયરિંગ કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સીઆઈ યુનિટ એટલે કે કાઉન્ટર ઈન્ટેલિજન્સ યુનિટે પણ તપાસ શરૂ કરી છે. સ્પેશિયલ સેલ મુંબઈ પોલીસ સાથે તેના ઈનપુટ શેર કરશે. સ્પેશિયલ સેલે અંડરવર્લ્ડમાં તેના સૂત્રો સક્રિય કર્યા છે. આ ઉપરાંત ક્રાઈમ સિન્ડિકેટ સાથે સંકળાયેલા લોકોની કુંડળીઓની તપાસના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

શરૂ થયું રાજકારણ
બાબા સિદ્દીકીની હત્યાને લઈને મુંબઈમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રવક્તા આનંદ દુબેએ મહાયુતિ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, 'જ્યારે રાજ્યની રાજધાનીમાં શાસક પક્ષના પૂર્વ ધારાસભ્યો સુરક્ષિત નથી, તો સરકાર સામાન્ય લોકોની સુરક્ષા કેવી રીતે કરશે. જો સરકાર પોતાના નેતાઓને સુરક્ષિત રાખી શકતી નથી તો ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દેવું જોઈએ. તેમને રાજ્યના ગૃહમંત્રી બનવાનો કોઈ અધિકાર નથી.

બે શકમંદોની થઈ રહી છે પૂછપરછ
સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં NCP (અજીત જૂથ)ના નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીની બાંદ્રા પૂર્વમાં ખેરવાડી સિગ્નલ ખાતે ઓફિસ છે. આ જ ઓફિસની નજીક અજાણ્યા લોકોએ બાબા સિદ્દીકી પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પછી હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. તેમને સારવાર માટે નજીકની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક છે. સૂત્રોનું કહેવું છે કે પોલીસ આ હુમલામાં બે શકમંદોની પૂછપરછ કરી રહી છે.

વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત
પોતાની પાર્ટીના નેતા પર ગોળીબારની માહિતી મળ્યા બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે હોસ્પિટલમાં ફોન કરીને તેમની હાલત વિશે પૂછપરછ કરી હતી. બાબા સિદ્દીકીની તબિયત જાણવા માટે તેમની પાર્ટીના ઘણા નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા છે. પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતાને જોતા આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સિવાય અજિત પવાર જૂથના ઘણા નેતાઓ લીલાવતી હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

બાબા સિદ્દિકી રાજ્યના ભૂતપૂર્વ મંત્રી અને અજિત પવાર જૂથના નેતા છે. લોકસભાની ચૂંટણી પહેલાં તેમણે કોંગ્રેસને અલવિદા કહીને અજિત પવારની રાષ્ટ્રવાદીમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે તેમના પુત્ર ઝીશાન સિદ્દિકી વાંદ્રે પૂર્વ મતવિસ્તારના ધારાસભ્ય છે. બાબા સિદ્દિકી પર કોણે ગોળીબાર કર્યો તેની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

કોણ છે બાબા સિદ્દીકી? જાણો તેમનું રાજકીય કરિયર
બાબા સિદ્દીકી બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. અગાઉ સિદ્દીકી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. ગત ફેબ્રુઆરીમાં પાર્ટી છોડીને અજિત પવારની એનસીપીમાં જોડાયા હતા. જ્યારે તેમના પુત્ર જીશાન સિદ્દીકીને ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. સિદ્દીકી 1999, 2004 અને 2009માં બાંદ્રા પશ્ચિમ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2004 અને 2008 વચ્ચે ખાદ્ય અને નાગરિક પુરવઠા, શ્રમ અને એફડીએના રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

હુમલાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે. પોલીસ શંકાના આધારે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news