હાઈ કોલેસ્ટ્રોલના કારણે 3 સૌથી મોટા જોખમો, એક જીવલેણ સાબિત થઈ રહ્યો છે, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય?

High Cholesterol Disease: શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું ખતરનાક સાબિત થઈ શકે છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલ જીવન માટે જોખમી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવું સૌથી મહત્વપૂર્ણ છે. જાણો કયા રોગોથી કોલેસ્ટ્રોલ વધારે છે?
 

હાઈ કોલેસ્ટ્રોલના કારણે 3 સૌથી મોટા જોખમો, એક જીવલેણ સાબિત થઈ રહ્યો છે, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય?

High Cholesterol Disease: જે પ્રકારની જીવનશૈલી આજના સમયમાં લોકોએ અપનાવી છે તે સ્વાસ્થ્ય માટે ઠીક નથી. લાંબા સમયમાં આ ખરાબ લાઇફસ્ટાઇલ ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. લાઇફસ્ટાઇલ ખરાબ થવામાં માત્ર ડાયટ સામેલ નથી. તમારૂ સૂવુ, જાગવું, ફિઝિકલી એક્ટિવ રહેવું અને ડાયટ દરેક વસ્તુ સામેલ છે. આ વસ્તુમાં કરવામાં આવેલી બેદરકારી તમને લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી બીમારીઓ જેમ કે હાઈ કોલેસ્ટ્રોલ, બીપી અને સુગર તરફ ધકેલે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધવું ઘાતક સાબિત થઈ શકે છે. ખરાબ કોલેસ્ટ્રોલ તમારા માટે 3 ખતરનાક બીમારીઓનો ખતરો અને જીવલેણ સ્થિતિ પેદા કરી શકે છે. 

હાઈ કોલેસ્ટ્રોલ થવાથી થનારા 3 મોટા ખતરા
હાર્ટ એટેકનો ખતરોઃ હાઈ કોલેસ્ટ્રોલને હાર્ટ એટેકનું મોટું કારણ માનવામાં આવે છે. કોલેસ્ટ્રોલ એક એવો ચિકણો પદાર્થ હોય છે, જે આપણી ધમનીઓમાં જઈને ચોંટી જાય છે. ધીમે-ધીમે લાંબા સમયમાં ખરાબ કોલેસ્ટ્રોલને કારણે ધમનીઓ સંકોચવા લાગે છે અને હાર્ટ સુધી બ્લડ અને ઓક્સીજન સારી રીતે પહોંચી શકતું નથી. આવી સ્થિતિમાં હાર્ટે વધુ પંપ કરવા મહેનત કરવી પડે છે, જે હાર્ટ એટેકનો ખતરો પેદા કરે છે. એટલે કે હાઈ કોલેસ્ટ્રોલને કારણે તમને હાર્ટ એટેક આવી શકે છે.

સ્ટ્રોકનું જોખમ- ખરાબ કોલેસ્ટ્રોલ વધવાને કારણે સ્ટ્રોકનું બીજું સૌથી મોટું જોખમ ઊભું થાય છે. આવી સ્થિતિમાં ગંદુ કોલેસ્ટ્રોલ મગજના જ્ઞાનતંતુઓને પણ બ્લોક કરી દે છે. ક્યારેક આ કોલેસ્ટ્રોલ લોહીમાં અવરોધ પેદા કરી શકે છે. તેનાથી લોહી ગંઠાઈ જવાનું જોખમ વધી જાય છે. જ્યારે મગજને પૂરતો ઓક્સિજન અને લોહી મળતું નથી, ત્યારે તે સ્ટ્રોક તરફ દોરી શકે છે.

પેરિફેરલ વેસ્ક્યુલર ડિસીઝ - કોલેસ્ટ્રોલનું ઊંચું સ્તર રક્ત વાહિનીઓમાં ચરબી જમા થવાનું કારણ બની શકે છે. જ્યારે આ કોલેસ્ટ્રોલ ચોંટી જાય છે, ત્યારે ધમનીઓમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી. જેના કારણે પગમાં પણ તકલીફ થાય છે. આ પગ અને અંગૂઠાને લોહી પહોંચાડતી ધમનીઓને અસર કરે છે. જેના કારણે ચાલતી વખતે અને ક્યારેક આરામ કરતી વખતે પણ પગમાં દુખાવો થાય છે. તેનું મુખ્ય કારણ રક્ત પરિભ્રમણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news