સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે જ ચર્ચા 'ભીમાણી' અને 'ભ્રષ્ટાચાર'! ACBમાં થયેલી અરજીની તપાસ ક્યારે?

જામનગરના નાઘેડીની શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં ચાલુ પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ VIP ટ્રીટમેન્ટ સાથે કરાવવામાં આવતી ચોરીના કૌભાંડનો ZEE 24 કલાકે પર્દાફાશ કર્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે જ ચર્ચા 'ભીમાણી' અને 'ભ્રષ્ટાચાર'! ACBમાં થયેલી અરજીની તપાસ ક્યારે?

ગૌરવ દવે/રાજકોટ: ગુજરાતમાં ભાજપ સરકાર હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે પણ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર થયો નથી. કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણીને પદ પરથી હટાવ્યા બાદ ACBમાં થયેલી ફરિયાદ અંગે પણ તપાસ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 

જામનગરના નાઘેડીની શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં ચાલુ પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ VIP ટ્રીટમેન્ટ સાથે કરાવવામાં આવતી ચોરીના કૌભાંડનો ZEE 24 કલાકે પર્દાફાશ કર્યો હતો. જોકે ત્યાર બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર બે જ ચર્ચા ચાલી રહી છે તેમાં કાર્યકારી કુલપતિ પદે થી ડો. ગિરીશ ભીમાણીને ક્યારે હટાવવામાં આવે છે અને બીજી ચર્ચા એ છે કાર્યકારી કુલપતિ પદે થી ડો. ગિરીશ ભીમાણીને હટાવ્યા બાદ તેની સામે થયેલી ભ્રષ્ટાચાર અંગેની અરજીની ACB તપાસ કરશે. 

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના કાલાવડ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા દેવેન્દ્ર મૂળજીભાઈ પરમાર નામના વ્યક્તિએ લંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણી, રજિસ્ટ્રાર અમિત પારેખ અને ડેપ્યુટી રજિસ્ટ્રાર જી.કે.જોશી સામે અરજી કરી છે. 

અરજીમાં આરોપ લગાવવામાં આવ્યા છે કે, 2022માં ડો. ગિરીશ ભીમાણીની કાર્યકારી કુલપતિ તરીકે નિમણુંક કરવામાં આવી. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વ્યાપક ભ્રષ્ટાચારના ભરડામાં ધકેલાઈ ગઈ છે. તમામ ટેન્ડરો અને કોન્ટ્રાકટ આરોપી નં.1 એટલે ગિરીશ ભીમાણીના મળતીયાઓને આપવામાં આવી રહ્યા છે અથવા તો ગિરીશ ભીમાણી લાંચ-રૂશ્વત આપનારને જ ટેન્ડર, દુકાન કે કોન્ટ્રાકટની ફાળવણી કરતા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. 

અધિકારીઓને ફોન કરી આદેશ આપ્યા 'કરવો બંધ'
ACBમાં થયેલી અરજીમાં લખવામાં આવ્યું છે કે, ગિરીશ ભીમાણીએ લાંચ માંગી. લાંચ આપવાની ના પાડતા ધમકી આપી કહ્યું 'તારી દુકાનો હું બંધ કરાવીને જ જંપીશ'. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારેખને રૂબરૂ અને ડે. રજિસ્ટ્રાર જી.કે. જોશીને ફોન કરી જ્યુસ અને ઝેરોક્ષની દુકાન રાતોરાત બંધ કરાવી દેજે તેવી સૂચના આપી હતી. શિક્ષણના ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધું હોવાના આરોપો પણ લાગ્યા છે.

આવકવેરા વિભાગે પણ તપાસ કરવી જરૂરી
ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વ્યાપક ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. કાર્યકારી કુલપતિ સામે આવક કરતા વધુ સંપત્તિ હોવાનો ACBમાં થયેલી અરજીમાં ઉલ્લેખ છે. હાલ ગિરીશ ભીમાણી કાર્યકારી કુલપતિ હોવાથી ACB દ્વારા અરજીની તપાસ કરવામાં આવી નથી અને પેન્ડિંગ રાખવામાં આવી છે. જોકે આ અરજી આધારે આવકવેરા વિભાગ તપાસ કરે તો ખરી હકીકત સામે આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news