મહત્વનું નિવેદન News

ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અંગે નીતિન પટેલનું મહત્વનું નિવેદન
ચાઈનામાં કોરોના વાયરસને લઈને હાહાકારની સ્થિતિની બની ચુકી છે. ત્યારે અભ્યાસ અર્થે ચાઈના ગયેલા રાજ્યના વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકાર ચિંતિત બની છે. રાજ્યના વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવા અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાયરસથી સર્જાયેલી સ્થિતિને લઈ માત્ર રાજ્ય સરકાર જ નહીં પરંતુ ભારત સરકાર પણ ખૂબ ચિંતિત બની છે. ચીનથી આવતા તમામ લોકોનું એરપોર્ટ પર જ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ મળેલા સમાચાર મુજબ ચીનમાં અભ્યાસ કરતા કોઈ પણ ગુજરાતી વિદ્યાર્થીને કોરોના ઇન્ફેક્શન થયું નથી. રાજ્ય સરકાર સતત દેશના વિદેશમંત્રી અને વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં છે. ચીનમાં વસતા જે પણ ભારતીય પાછા આવવા માંગે છે તેમને રાજ્ય અને ભારત સરકાર પરત લાવશે.
Jan 31,2020, 17:14 PM IST

Trending news