19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ વચ્ચે ગુજરાતનું વાતાવરણ રોગીસ્ટ બનશે! અંબાલાલની ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી
Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી આવી ગઈ છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 2થી 3 ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં કમોસમી હિમ વરસાદની શક્યતા રહેલી છે. સાથે રાજ્યમાં 3 ફેબ્રુઆરી સુધી ઠંડી રહેવાની શક્યતા છે.
3 થી 4 ફેબ્રુઆરીમાં ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે. આ સમયે ગુજરાતનાં ઉત્તર પૂર્વીય ભાગોમાં છાંટા પડવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. 5થી 7 ફેબ્રુઆરીમાં ફરી રાજ્યમાં ઠંડી રહી શકે છે. આ સમયે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 9થી 11 ફેબ્રુઆરીમાં ફરી ગુજરાતનું હવામાન પલટાય તેવી શક્યતા રહેલી છે. 11 અને 12 તારીખે ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા રહેલી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહે જેથી સાવચેતી રાખવી. 23મીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદની શક્યતા રહેલી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં જે મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવવાની ધારણા હતા, તે નબળો પડી ગયો છે. જેના કારણે આગામી દિવસોમાં મોટું માવઠું આવવાની શક્યતા નહીવત છે. વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં ભારે હીમ વર્ષા થવાની શક્યતા રહેશે. જ્યારે ગુજરાતના ઘણાં ભાગોમાં વાદળવાયુંની શક્યતા રહેશે.
વિષમ હવામાનની વિપરિત અસરના કારણે ઉભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા વધતી હોવાથી ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. જે બાદ ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સપ્તાહ તેમજ માર્ચ-એપ્રિલ મહિનામાં પણ હવામાનમાં વારંવાર પલટો આવી શકે છે. જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અગાઉ કરવામાં આવેલી આગાહી મુજબ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ સુધી બન્યું નથી. જો તે સક્રિય થશે, તો પણ નબળું જ રહેવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની શક્યતા નહીવત થઇ ગઇ છે. એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠારૂપી ખતરાથી બહાર નથી આવ્યા. ઉત્તર તરફથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે, તેના કારણે રાજસ્થાનમાં માવઠાનો વરસાદ પડી શકે છે. જેથી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ઝાપટા પડશે, જે શિયાળું પાકને નુકસાન કરે તેવી શક્યતા રહેશે. વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડા જિલ્લામાં વધારે પડતાં ઘાટા વાદળ ઘેરાઈ શકે છે. આ 4 દિવસ દરમિયાન ચાર જિલ્લાના એકાદ સેન્ટરમાં છૂટાછવાયા ઝાપટા પડશે.
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે. જોકે, લા-નીનોની અસર બાબતમાં કેટલાક તજજ્ઞોના મનમાં અવઢવ છે. તેની અસરના કારણે બંગાળ ઉપસાગર સર્કિય રહેશે અને 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે.
હવામાન વિભાગે તા. 2 અને 3 ફેબ્રુઆરીનાં રોજ માવઠાની આગાહી વ્યક્ત કરી છે. તેમજ આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતાઓ છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાત તરફ આવી રહેલી સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી છે. જેથી હાલ રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ ટળ્યું છે. જેથી આગામી સમયમાં સિસ્ટમ નબળી પડતા હવે માવઠાથી ખેડૂતોને રાહત મળશે. પરંતું આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેથી આગામી સમયમાં માવઠું ફરી આવી શકે છે.
જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અગાઉ કરવામાં આવેલી આગાહી મુજબ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ સુધી બન્યું નથી. જો તે સક્રિય થશે, તો પણ નબળું જ રહેવાની શક્યતા છે. જેના પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની શક્યતા નહીવત થઇ ગઇ છે. એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠારૂપી ખતરાથી બહાર નથી આવ્યા.
ઉત્તર તરફથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે, તેના કારણે રાજસ્થાનમાં માવઠાનો વરસાદ પડી શકે છે. જેથી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ઝાપટા પડશે, જે શિયાળું પાકને નુકસાન કરે તેવી શક્યતા રહેશે. વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડા જિલ્લામાં વધારે પડતાં ઘાટા વાદળ ઘેરાઈ શકે છે. આ 4 દિવસ દરમિયાન ચાર જિલ્લાના એકાદ સેન્ટરમાં છૂટાછવાયા ઝાપટા પડશે.
Trending Photos