Lakhimpur: ખેડૂતોને જીપથી કચડી નાખવાની ઘટનાનો એક કથિત Video થયો વાયરલ, પ્રિયંકા વાડ્રાએ પણ કર્યો ટ્વીટ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક જીપ જોવા મળી રહી છે. જેનો સામેનો કાચ તૂટેલો છે. વીડિયોમાં દેખાવકારો કાળા ઝંડા લઈને જઈ રહ્યા છે અને જીપ આગળ વધી રહેલા ખેડૂતોને પાછળથી આવીને ટક્કર મારતી જોવા મળી રહી છે.

Lakhimpur: ખેડૂતોને જીપથી કચડી નાખવાની ઘટનાનો એક કથિત Video થયો વાયરલ, પ્રિયંકા વાડ્રાએ પણ કર્યો ટ્વીટ

લખનૌ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા અંગે રાજકીય બબાલ ચાલુ છે અને સીતાપુરમાં પોલીસ અટકાયતમાં રખાયેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક વીડિયો પણ શેર કર્યો છે. પ્રિયંકા ગાંધીએ લખીમપુર હિંસા અગાઉ ખેડૂતોને જીપથી કચડવાનો એક કથિત વીડિયો શેર કર્યો છે. ઝી ન્યૂઝ આ વાયરલ થયેલા વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી, જેને પ્રિયંકા ગાંધી ઉપરાંત અનેક લોકોએ શેર કર્યો છે. 

વીડિયોમાં શું છે?
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક જીપ જોવા મળી રહી છે. જેનો સામેનો કાચ તૂટેલો છે. વીડિયોમાં દેખાવકારો કાળા ઝંડા લઈને જઈ રહ્યા છે અને જીપ આગળ વધી રહેલા ખેડૂતોને પાછળથી આવીને ટક્કર મારતી જોવા મળી રહી છે. જીપની પાછળ ઝડપથી એક કાર પણ નીકળતી જોવા મળી છે. અત્રે જણાવવાનું કે ઝી ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 

— Zee News (@ZeeNews) October 5, 2021

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને પૂછ્યા સવાલ
પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું કે નરેન્દ્ર મોદીજી તમારી સરકારે કોઈ ઓર્ડર વગર અને એફઆઈઆર વગર મને છેલ્લા 28 કલાકથી અટકાયતમાં રાખી છે. અન્નદાતાને કચડી નાખનારો આ વ્યક્તિ હજુ સુધી ધરપકડ કેમ નથી કરાયો? પોતાની બીજી પોસ્ટમાં પ્રિયંકા ગાંધીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે મોદીજી નમસ્કાર મે સાંભળ્યું છે કે આજે તમે આઝાદીનો અમૃત ઉત્સવ મનાવવા માટે લખનૌ આવી રહ્યા છો. હું તમને પૂછવા માંગુ છું કે તમે આ વીડિયો જોયો છે? આ વીડિયો તમારી સરકારમાં મંત્રીના પુત્રની ગાડીની નીચે ખેડૂતોને કચડતા દેખાડે છે. આ વીડિયો જુઓ અને દેશને જણાવો કે આ મંત્રીને હજુ સુધી હટાવવામાં કેમ નથી આવ્યા અને આ છોકરાને પણ હજુ સુધી કેમ પકડ્યો નથી. મારા જેવા વિપક્ષના નેતાઓને તો તમે કોઈ પણ ઓર્ડર વગર કે એફઆઈઆર વગર અટકાયતમાં રાખ્યા છે. હું જાણવા માંગુ છું કે આ વ્યક્તિ આઝાદ કેમ છે?

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 5, 2021

સીએમ યોગીએ કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. આ ઉપરાંત યુપી સરકારે કહ્યું છે કે આ સમગ્ર મામલે તપાસ હાઈકોર્ટના રિટાયર્ડ જજ પાસે કરાવવામાં આવશે. હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને 45-45 લાખ રૂપિયા અને ઘાયલોને 10-10 લાખ રૂપિયા વળતર અપાશે. 

(અહેવાલ- સાભાર ઝી ન્યૂઝ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news