મુંગેરમાં બબાલ વધી, લોકોએ SP ઓફિસમાં તોડફોડ કરી, ગાડીઓ ભડકે બાળી

બિહાર (Bihar) ના મુંગેરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન પોલીસ અને પબ્લિકમાં થયેલી ઝડપનો મામલો શાંત થવાનું નામ લેતો નથી. આ ઘટના બાદ આક્રોશિત લોકોએ આજે ઉગ્ર વલણ અપનાવી લીધુ અને એસી લિપી સિંહ અને એસડીઓના કાર્યાલયમાં ખુબ તોડફોડ કરી. 

મુંગેરમાં બબાલ વધી, લોકોએ SP ઓફિસમાં તોડફોડ કરી, ગાડીઓ ભડકે બાળી

પ્રશાંતકુમાર, મુંગેર: બિહાર (Bihar) ના મુંગેરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન પોલીસ અને પબ્લિકમાં થયેલી ઝડપનો મામલો શાંત થવાનું નામ લેતો નથી. આ ઘટના બાદ આક્રોશિત લોકોએ આજે ઉગ્ર વલણ અપનાવી લીધુ અને એસી લિપી સિંહ અને એસડીઓના કાર્યાલયમાં ખુબ તોડફોડ કરી. 

આક્રોશિત લોકોએ પુરબસરાય ગાડી અને પોલીસવાહનમાં આગચંપી કરી તથા પોલીસ સ્ટેશને પણ પથ્થરમારો કર્યો છે. હકીકતમાં મુંગેરમાં લોકો સતત કાર્યવાહીની માગણી કરી રહ્યા છે અને હજુ સુધી દોષિતો પર કોઈ કાર્યવાહી ન થવાના કારણે નારાજ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. 

આ બાજુ ગૃહ અપર મુખ્ય સચિવ આમિર સુબહાની મુંગેર મામલે મીડિયા સાથે વાતચીત કરતા બચતા જોવા મળ્યા. સમગ્ર મામલે આજે પટણામાં પોલીસ અધિકારીઓની હાઈ લેવલ મિટિંગ બોલાવવામાં આવી છે. અત્રે જણાવવાનું કે સોમવારે મોડી રાતે બિહારના મુંગેર જિલ્લામાં મૂર્તિ વિસર્જન દરમિયાન પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું હતું. 

આ દરમિયાન થયેલી હિંસામાં એક યુવકનું મોત થયું. આ સાથે જ પોલીસના લગભગ બે ડઝન જેટલા જવાનો પથ્થરબાજી અને ફાયરિંગની ઝપેટમાં આવી જવાથી ઘાયલ થયા. નોંધનીય છે કે જિલ્લાના એસપી લીપિ સિંહ અને ડીએમ રાજેશ મીણાએ અધિકૃત નિવેદનમાં આ ઘટના માટે અસામાજિક તત્વોને જવાબદારી ઠેરવ્યા હતાં. 

એસપીએ આ ઘટના અંગે કહ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વો તરફથી હિંસા થઈ જેમાં અનેક  જવાનો ઘાયલ થયા અને પોલીસ સ્ટેશન ઈનચાર્જનું માથું ફાટી ગયું છે. ત્યારબાદ તેમના તરફથી થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું અને એક વ્યક્તિ ઘાયલ થયો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news