પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ કરી મોટી જાહેરાત, કહ્યું- હવે આજીવન નહીં કરૂ લોકડાયરા
ગુજરાતના લોકસાહિત્ય અને ડાયરામાં જેમનું નોંધનીય યોગદાન છે તેવા પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે હવે તે ક્યારેય લોકડાયરા કરશે નહીં.
Trending Photos
અમદાવાદઃ લોકડાયરાએ ગુજરાતી કલા-સંસ્કૃતિની આગળી ઓળખ છે. ગુજરાતમાં ઘણા સાહિત્યકારો-કલાકારો લોકડાયરા સાથે જોડાયેલા છે. પરંતુ હવે એક દિગ્ગજ લોકસાહિત્યકારે ડાયરામાંથી સંન્યાસની જાહેરાત કરી છે. પદ્મશ્રીથી સન્માનિત ભીખુદાન ગઢવીએ પોતાના ચાહકોને નિરાશ કરતા સમાચાર આપ્યા છે. ભીખુદાન ગઢવીએ જણાવ્યું કે તે હવે લોકડાયરામાં સામેલ થશે નહીં.
ભીખુદાન ગઢવીએ કરી જાહેરાત
લોક ગાયક ભીખુદાન ગઢવીએ જણાવ્યું કે પીઠડ માતાના સાનિધ્યમાં કાર્યક્રમ સંપન્ન થયા બાદ જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારે કોઈ પ્રોગ્રામ કરવા નથી. હવે અહીં માતાજીના દર્શન કરવા માટે આવીશું, પીઠડ માતાના દર્શન કરીશ. પરંતુ અહીં કે બીજે ક્યાંય હવે કાર્યક્રમ કરવા નથી. ભીખુદાન ગઢવીએ આઈશ્રી પીઠડ માતાજીના કાર્યક્રમમાં આ જાહેરાત કરી છે, જ્યાં તેમણે પોતાનો છેલ્લો લોકડાયરો કર્યો છે.
ચાહકોમાં નિરાશા
લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીના આ નિર્ણયથી તેમના ચાહકો અને સાહિત્યપ્રોમીઓમાં નિરાશા જોવા મળી રહી છે. હવે તેમના ચાહકો ક્યારેય ડાયરાની મજા માણી શકશે નહીં. ભીખુદાન ગઢવીએ ગુજરાતના લોકસાહિત્ય અને ડાયરામાં ખુબ મોટું યોગદાન આપ્યું છે. તેમના યોગદાનને જોતા કેન્દ્ર સરકારે પદ્મશ્રીથી તેમનું સન્માન કર્યું હતું.
લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ જણાવ્યું કે હવે તેમની ઉંમર અને સ્વાસ્થ્ય સારૂ રહેતું નથી. તેમણે બાકીના જીવનમાં ભગવાનના ભજન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે લોકોને જે પ્રેમ મળ્યો છે તે ક્યારેય ભૂલાશે નહીં. હવે ઉંમરને કારણે નિવૃત્તિ લઈ રહ્યાં છે.
લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખીજદળ ગામે 19 સપ્ટેમ્બર 1948મા થયો હતો. વર્તમાનમાં તેઓ જૂનાગઢ ખાતે રહે છે. લોકસાહિત્યકાર તરીકે તેમની સરફ આશરે પાંચ દાયકાની રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે