Gujarat Election 2022: ‘PAAS’નો આક્ષેપ, 'હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કરીને 250 કરોડની સંપત્તિ બનાવી, તે ફક્ત સ્વાર્થી છે'

Gujarat Election 2022: પાસના સભ્ય નિલેશ એરવાડીયાએ જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી ઘણા લોકો ભાજપ સામે લડી રહ્યા છે. ભાજપ સામે અપક્ષ કે કોંગ્રેસમાં લડતા તમામ લોકોને પાસનો ખુલ્લો ટેકો છે.

Gujarat Election 2022: ‘PAAS’નો આક્ષેપ, 'હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કરીને 250 કરોડની સંપત્તિ બનાવી, તે ફક્ત સ્વાર્થી છે'

Gujarat Election 2022: ચૂંટણીમાં ફરી પાટીદાર અનામત આંદોલનના એક જૂના જોગીએ હાર્દિક પટેલ પર મોટા આક્ષેપ કરીને ખળભળાટ મચાવી દીધો છે. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિએ પત્રકાર પરિષદ કરી હતી.

પાસના સભ્ય નિલેશ એરવાડીયાએ જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી ઘણા લોકો ભાજપ સામે લડી રહ્યા છે. ભાજપ સામે અપક્ષ કે કોંગ્રેસમાં લડતા તમામ લોકોને પાસનો ખુલ્લો ટેકો છે. પરંતુ હજુ એવા ઘણા પરિવારો છે, જેમને હજું સુધી ન્યાય નથી મળ્યો, સરકારો બદલાઈ પણ માંગણીઓ પૂર્ણ નથી થઈ. પાસમાંથી ભાજપમાં ગયેલા હાર્દિક પટેલ EBC પણ અપાવી શક્યો નથી. લાખો યુવાનોએ કરેલી મહેનતના લીધે મળી છે. હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કરીને જે ઓબીસીની મુખ્ય માગણી હતી એની જગ્યાએ 10% ઈબીસીનું લોલીપોપ પકડાવીને પોતે આ અપાવ્યું હોવાની વાત કરે છે, જે ખોટી છે. 

નિલેશ એરવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે હાર્દિક પટેલે કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે. પરંતુ પાટીદાર સમાજ હવે હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ કરશે. વિરમગામમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનો અને પાટીદાર સમાજના યુવાનો હાર્દિક પટેલનો વિરોધ કરશે. આંદોલન વખતે લાખો પાટીદાર યુવાનો રોડ પર ઊતર્યા હતા અને તેમની સામે કેસ થયા હતા. આજે પણ અનેક યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાય છે.

આ પણ વીડિયો જુઓ:-

250 કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી
નિલેશ એરવાડીયાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો. પરંતુ આજે હાર્દિક પટેલે 250 કરોડની સંપત્તિ બનાવી છે, ફક્ત તે સ્વાર્થી છે. પરંતુ હવે વિધાનસભાની ચૂંટણીમાં પાસ કાર્યકરો વિરમગામમાં જઈને હાર્દિકનો વિરોધ થશે. પાસ અને પાટીદાર સમાજ હાર્દિક પટેલનો વિરોધ કરશે. પરંતુ હા...ગોપાલ ઇટલીયા, લલિત કગથરા, લલિત વસોયા, ધાર્મિક માલવીયાને અભિનંદન અને સમર્થન. તેઓ ભાજપની સામે લડી રહ્યા છે. 

ભાજપની સામે માંગણીઓ હતી અને તેનો જ વિરોધ કરીએ છીએ. પાસમાંથી ઘણા લોકો બીજા પક્ષમાં ગયા છે, લોકો માટે આવા ક્રાંતિકારીઓ કામ કરશે અવાજ ઉઠાવશે. પરંતુ હાર્દિક પટેલે જ્યારે ભાજપમાં જોડાવાની વાત કરી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે, બે મહિનામાં 14 પાટીદાર યુવાનોને ન્યાય અપાવીશ. સરકારી કે અર્ધસરકારી નોકરી અપાવીશ, પરંતુ તેણે એકપણ કામ કર્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news