સુરતમાં શરૂ થશે ફેમિલી ફાર્મર અભિયાન, ઘરમાં જ થશે શાકભાજીની ખેતી

વર્ષો પહેલા વિદેશી ખાતર અને જંતુ નાશક દવા વગર આપણાં દેશમાં ખેતી થતી હતી તે સમયે અન્ય દેશોથી અનાજની આયાત કરવી પડતી હતી તેથી આપણાં દેશમાં ખેત ઉત્પાદન વધે તે ખૂબ જરૂરી હતું. ખેત ઉત્પાદન વધારવા માટે વિદેશી ખાતર અને જંતુનાશક દવાઓનો સહારો લેવામાં આવ્યો છે. જેને કારણે જમીન સાથે જોડાયેલા રહેતા અળસીયાનો નાશ થયો અને જમીન વિદેશી ખાતર અને દવાઓની વ્યસની બની છે. 

સુરતમાં શરૂ થશે ફેમિલી ફાર્મર અભિયાન, ઘરમાં જ થશે શાકભાજીની ખેતી

તેજશ મોદી/સુરત: વર્ષો પહેલા વિદેશી ખાતર અને જંતુ નાશક દવા વગર આપણાં દેશમાં ખેતી થતી હતી તે સમયે અન્ય દેશોથી અનાજની આયાત કરવી પડતી હતી તેથી આપણાં દેશમાં ખેત ઉત્પાદન વધે તે ખૂબ જરૂરી હતું. ખેત ઉત્પાદન વધારવા માટે વિદેશી ખાતર અને જંતુનાશક દવાઓનો સહારો લેવામાં આવ્યો છે. જેને કારણે જમીન સાથે જોડાયેલા રહેતા અળસીયાનો નાશ થયો અને જમીન વિદેશી ખાતર અને દવાઓની વ્યસની બની છે. સાથે જ પાકની ગુણવતા બગડી રહી છે, ત્યારે ફેમિલી ફાર્મર અભિયાન સુરતમાં શરુ કરવામાં આવ્યું છે. જેમાં લોકોને ઓર્ગેનિક શાકભાજી અને ફળ-ફ્રુટ ઘરે બેઠા પહોંચાડવામાં આવશે.

વિદેશી ખાતર અને જંતુ નાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ કરવાના કારણે ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું છે. સાથે જ બિયારણો, પાણી અને પર્યાવરણ વગેરે પ્રદુષિત થયા છે. પાકમાં રોગ જીવાંતનું પ્રમાણ વધ્યું છે જેને પરિણામે મનુષ્ય, પ્રાણીઓના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થઈ મનુષ્યમાં રોગનું પ્રમાણ વધ્યું અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી, ત્યારે લોકોને દેશી અને ઓર્ગેનિક ખેતી વડે ઉત્પાદન કરવામાં આવતા શાકભાજી અને ફળ-ફ્રુટ ખાવા મળી શકે તેવું ખાસ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. 

ફેમિલી ફાર્મર અભિયાનની શરૂઆત આવતીકાલે શનિવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ અભિયાન સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના પ્રમુખ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા મથુર સવાણી કરાવી રહ્યા છે. તેમને ખેડૂતો અને લોકો વચ્ચે માધ્યમ બની લોકોએ ઓર્ગેનિક શાકભાજી અને ફળ-ફ્રુટ ખવડાવવાનો નિર્ધાર કર્યો છે. જેના માટે તેમને એવા ખેડૂતોને એક પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં ઓર્ગેનિક શાકભાજી ઉપ્તાદન કરનાર ખેડૂતો પોતાની વસ્તુઓ સીધી જ ગ્રાહકને વેચી શકે. મથુરભાઈનું કહેવું છે કે જે પરિવારને રસાયણ મુક્ત ખોરાક પોતાના રસોડામાં ઉપલબ્ધ કરવો છે અને પોતાના પરિવારને તંદુરસ્ત બનાવવો છે તેવા પરિવારને ગાય આધારિત પ્રકૃતિક ખેતી કરતાં ખેડૂતો મળી શકે તેના માટે ફેમિલી ફાર્મર અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.

આ ફેમિલી ફાર્મર અભિયાન એટલે જેમ આપણે ફેમિલી ડોક્ટર હોય છે તેવીજ રીતે આપણે ફેમિલી ફાર્મર પણ નક્કી કરવા પડશે. આ અભિયાનમાં એક ફેમિલી ફાર્મર નામની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે જે વેબસાઇટ ઉપર ગુજરાતમાં ગાય આધારિત ખેતી કરતાં ખેડૂતોની યાદી જોવા મળશે અને આપે તે વેબસાઇટ પરથી આપને જે ફાર્મર અનુકૂળ હોય તેની પસંદગી કરી તેની સાથે એગ્રીમેન્ટ કરી શકશો.

SURAT-2.jpg

રિસાયેલા બાળકની જેમ ભાજપના સભ્યએ વલસાડની સભામાં કર્યો વિરોધ

વિલાયતી ખાતર અને દવા દ્વારા જે ખેત ઉત્પાદન થતું તેટલું અને અમુક પાકોમાં તેથી પણ વધુ ખેત ઉત્પાદન મળવા લાગ્યું આ પધ્ધતિથી ખેતી કરતાં અનેક ખેડૂતોની અમોએ મુલાકાત લીધી તેઓની ખેતી કરવાની કર્યા પધ્ધતિ સમજ્યા છે. આજે હજારો ખેડૂતો પ્રકૃતિક ખેતી કરી રહ્યા છે અને પરિણામો પણ સારા મેળવી રહ્યા છે. ગાય આધારીત પ્રકૃતિક પધ્ધતિથી બહુ મુખી ફાયદાઓ છે. ખેડૂતોને ખેત ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદનની આવક વધે છે લોકોને રસાયણ મુક્ત ખોરાક પ્રાપ્ત થાય છે.

અમદાવાદ : લોક થયેલી કારમાં શ્વાસ રુંધાવાથી બાળકનું મોત, કાચ તોડીને બહાર કઢાયો

છેલ્લા ત્રણ વર્ષથી ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા ખેડૂત હરેશ ગાજીપરાનું કહેવું છે કે, પોતે શ્રીમંત પરિવારમાંથી આવે છે, અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ જ આરોગતા હતાં પરતું તેમાં છતાં પરિવારના સભ્યોને અનેક બીમારી થઇ હતી, જેથી બિમારીના મૂળમાં જતાએ વાત સામે આવી કે કેમિકલવાળા શાકભાજી ખાવાના કારણે બીમારી થઇ રહી છે. જેથી તેમને ઓર્ગેનિક અને દેશી પદ્ધતિથી શાકભાજી ઉત્પાદન કરવાનું શરુ કર્યું. જેના ફાયદો દેખાતા પહેલા પોતાના પરિવારને ઓર્ગેનિક શાકભાજી ખવડાવ્યા બાદ લોકોને પણ ઓર્ગેનિક શાકભાજી અને ફળ-ફ્રુટ ખવડાવવા માટે કમર કસી છે.

તમારી ધારણા કરતા વધુ ખતરનાક છે ધતૂરાના બીજ, જેનાથી પાટણમાં એક બહેને ભાઈ-ભત્રીજીને આપ્યું મોત

ઓર્ગેનિક ખેતી માટે ગાયનો મહત્તમ ઉપયોગ થયા છે, ગાય આધારિત ખેતી હોવાથી ગાયની પણ સેવા થાય છે ઓછા પાણી દ્વારા ઉત્પાદન થાય છે આ પધ્ધતિમાં જીવામૃત આપવાથી મોટા પ્રમાણમાં અળસિયા પેદા થાય છે અને તે અળસિયા ખેતરની જમીન પોચી હોય ત્યાં સુધી એટલે કે ૧૫-૧૫ ફૂટ સુધી જમીનમાં છીદ્રો પાડે છે અને બીજા છીદ્રો દ્વારા બહાર આવે છે. આ અળસિયા જમીનને ઉપજાવ બનાવવા માટે તો કામ કરે જ છે પરંતુ ૬ ઇંચ વરસાદ પડે તો પણ સંખ્યા બંધ ખેતરોમાં સીદ્રો હોવાથી વરસાદનું બધુજ પાણી જમીનમાં ઉતારી જાય છે તેથી આ પધ્ધતિમાં જલસંચયનું પણ બહુ મોટું કામ થાય છે.

આ પધ્ધતિથી ખેતી કરતાં ખેડૂતોને પાકમાં કોઈપણ પ્રકારનો રોગ લાગે તો નિમાસ્ત્ર નામની દવા બનાવેલ છે આ દવા કોઈ પાસેથી ખરીદવી નથી પડતી પરંતુ ખેડૂત પોતે લીમડાના પાન, સીતાફળના પાન જેવા વગેરે ૧૦ પ્રકારના પાન અને ગૌમુત્ર માંથી બનાવે છે. અને પાકને રોગ માંથી મુક્તિ અપાવે છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી હજારો ખેડૂતો વિદેશી ખાતર અને દવા વગર ખૂબ સારૂ ઉત્પાદન મેળવતા થયા છે. ચંદુ સુરાણીનું કહેવું છે કે, વર્ષોથી આપણાં સૌના મગજમાં એક વાત હતી કે, વિલાયતી ખાતર અને જંતુ નાશક દવા વગર કોઈપણ પ્રકારનું ઉત્પાદન થઈ શકે નહીં.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news