ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસમાં ગુજરાતીઓને લોકાર્પણ કરશે કઈ-કઈ ભેટ?

Navratri 2024: આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના હોમ ટાઉન અમદાવાદમાં આવી પહોંચ્યાં છે. અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ ગુજરાતીઓને અનેકવિધ ભેટો લોકાર્પણ કરશે...

ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસમાં ગુજરાતીઓને લોકાર્પણ કરશે કઈ-કઈ ભેટ?

Amit Shah Gujarat Visit: આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ અમિત શાહ તહેવારનો પ્રારંભ પોતાના ઘરે પુજા અર્ચના કરીને કરશે. જેને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના હોમ ટાઉન અમદાવાદમાં આવી પહોંચ્યાં છે. અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ ગુજરાતીઓને અનેકવિધ ભેટો લોકાર્પણ કરશે...

અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે દરમિયાન અમિત શાહ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિનો શુભારંભ કરાવશે. આ સાથે અન્ય વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.

અમિત શાહનો આજનો સમગ્ર કાર્યક્રમ:
1 . ગાંધીનગર લોકસભા – સ્વસ્થ લોકસભા અભિયાન અંતર્ગત “આરોગ્ય ચકાસણી કેમ્પ” ના ઉદ્ઘાટન સમારોહમાં આપશે હાજરી
સ્થળ – મહંત શ્રી બલદેવગીરી આપુ કોમ્યુનિટી હોલ વિશ્વાસ સિટી 1, કારગીલ ક્રોસ રોડ ચાણક્યપુરી, અમદાવાદ,

2. GMERS સોલા ખાતે ટેલી રીડેબિલિટેશન સેન્ટર અને સાઉન્ડ પ્રુફ રૂમનું લોકાર્પણ (સવારે 10:40 કલાકે)
સ્થળ – સોલા સિવિલ કોસ્પિટલ, એસજી હાઇવે, અમદાવાદ

3 . AMC દ્વારા નવનિર્મિત આધુનિક શાકમાર્કેટનું લોકાર્પણ (સવારે 11:00 કલાકે)
સ્થળ – ગોતા શાકભાજી માર્કેટ, દ્વારકા એપાર્ટમેન્ટ સામે, દેવમગર, ગોતા, અમદાવાદ

4. ભાડજ પ્રાથમિક શાળાનું લોકાર્પણ (સવારે 11:15 કલાકે)
સ્થળ – પ્રાથમિક શાળા, મુ. ભાડજ, અમદાવાદ

5. AMCના વિકાસલક્ષી વિવિધ કામોના ખાતમૂર્હત અને લોકાર્પણ (સવારે 11:15 કલાકે )
સ્થળ – ઓપન પ્લોટ, શ્રીયમ પાર્ટી પ્લોટ પાસે, ભાડજ તળાવ સામે, મુ. ભાડજ અમદાવાદ

6. સાણંદ વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ પટેલના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ (બપોરે 1:00 કલાકે)
સ્થળ – 104-106, શ્રી પદ, બ્રિલિયન્સ ઇન્ટરનેશનલ સ્કુલ પાસે, નળ સરોવર રોડ, સાણંદ

7.સાણંદ વિધાનસભા ખાતે કાર્યકર્તા સંમેલન (બપોરે 1:15 કલાકે)
સ્થળ – બ્રિલિયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલ ઓપન પ્લોટ, નળ સરોવર રોડ, સાણંદ

8. વિચાર ટ્રસ્ટ (વિશાલા પરીવાર) સંચાલિત નવનિર્મિત વિશ્વના એક માત્ર ધાતુપાત્ર સંગ્રહાલયનું લોકાર્પણ ( બપોરે 4:15 કલાકે)
સ્થળ -વિશાલા એપીએમસી માર્કેટ સામે, વિશાલા સર્કલ, અમદાવાદ

9. નવનિર્મિત પોલીસ કમિશ્નર કચેરીનું લોકાર્પણ(સાંજે 5:00 કલાકે)
સ્થળ -પોલીસ કમિશનર કચેરી, હેડ કવાર્ટર, શાહીબાગ, અમદાવાદ

10. વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ -2024 નો ઉદ્ઘાટન સમારોહ (સાંજે 8:45 કલાકે)
સ્થળ – જીએમડીસી ગ્રાઉન્ડ, હેલોટ સર્કલ, મેમનગર, અમદાવાદ

11. નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજીત રાસ-ગરબા મહોત્સવ (નારણપુરા વિધાનસભા – નારણપુરા વોર્ડ)(રાત્રે 9:30 કલાકે)
સ્થળ – સરદાર પટેલ નગર, એચપી. પેટ્રોલ પંપ પાસે, શાસ્ત્રી નગર, નારણપુરા, અમદાવાદ

12. નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજીત રાસ-ગરબા મહોત્સવ (વેજલપુર વિધાનસભા – જોધપુર વોર્ડ) (રાત્રે 10:00 કલાકે)
સ્થળ – સચિન ટાવર, 100 ફૂટ રોડ, સેટેલાઈટ, અમદાવાદ

13. નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજીત રાસ-ગરબા મહોત્સવ (વેજલપુર વિધાનસભા- મકરબા વોર્ડ) (રાત્રે 10:25 કલાકે)
સ્થળ – ઓર્મિક વ્હાઈટફિલ્ડ, એક્સ્ટેશન આદિ શંકરાચાર્ય માર્ગ, પ્રહલાદનગર, અમદાવાદ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news