'તારક મહેતા...'ના 'જેઠાલાલ'ની પુત્રીના સફેદ વાળની ચારેબાજુ ચર્ચા, પિતાએ મૌન તોડીને આપ્યો જવાબ

બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન દિલીપ જોશીએ જણાવ્યું હતું કે જ્યારે તેમની દીકરીને ખબર પડી કે તે સફેદ વાળને કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે ત્યારે તે ખૂબ જ ચોંકી ગઈ હતી. તેણે કહ્યું, 'તે તેના લગ્નમાં તેના વાળ જે રીતે રાખવા માંગતી હતી.

'તારક મહેતા...'ના 'જેઠાલાલ'ની પુત્રીના સફેદ વાળની ચારેબાજુ ચર્ચા, પિતાએ મૌન તોડીને આપ્યો જવાબ

નવી દિલ્હીઃ પ્રખ્યાત ટીવી એક્ટર દિલીપ જોશી (Dilip Joshi) એ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં જેઠાલાલની ભૂમિકા ભજવીને લોકોના દિલમાં ઘર બનાવી લીધું છે. તાજેતરમાં જ દિલીપ જોશીની પુત્રી નિયતિના લગ્ન થયા હતા. તેના લગ્નના ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર ધૂમ મચાવી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન નિયતિના સફેદ વાળને લઈને ખુબ ચર્ચા થઈ રહી છે અને બધાનું ધ્યાન ખેંચ્યું છે, જેના કારણે આ મુદ્દો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો છે. લગ્નમાં આ રીતે સફેદ વાળ કરવા બદલ કેટલાક લોકોએ તેના જોરદાર વખાણ કર્યા તો કેટલાક યૂઝર્સે મજાકની તમામ હદ પાર કરી દીધી છે. હવે આ અંગે દિલીપ જોશી (Dilip Joshi)એ પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

દિલીપ જોશીએ મૌન તોડ્યું
બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન દિલીપ જોશીએ જણાવ્યું હતું કે જ્યારે તેમની દીકરીને ખબર પડી કે તે સફેદ વાળને કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે ત્યારે તે ખૂબ જ ચોંકી ગઈ હતી. તેણે કહ્યું, 'તે તેના લગ્નમાં તેના વાળ જે રીતે રાખવા માંગતી હતી. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે લોકો આના પર આવી પ્રતિક્રિયા આપશે. અમારા ઘરમાં ક્યારેય તેની ચર્ચા થઈ ન હતી. તે જેવું છે તેવું બરાબર છે. ઘણા લોકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો છે, જેનાથી મને આનંદ થયો કે મારી પુત્રીએ અન્ય લોકોને પણ પ્રેરણા આપી છે. દિલીપ જોષી (Dilip Joshi) એ કહ્યું કે મને લાગે છે કે આપણે જેવા છીએ તેવા લોકોની સામે આવવું જોઈએ.

નિયતિએ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા
તમને જણાવી દઈએ કે દિલીપ જોશી (Dilip Joshi) ની પુત્રી નિયતિએ તેના બોયફ્રેન્ડ યશોવર્ધન મિશ્રા સાથે 11 ડિસેમ્બર, 2021ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્નમાં દિલીપનો પરિવાર અને તારક મહેતાની સ્ટારકાસ્ટ પણ આવી હતી. થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે દિલીપ જોશી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છોડવા જઈ રહ્યા છે જેના પર તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

શો છોડવાના છે દિલીપ જોશી?
ઈન્ડિયન એક્સપ્રેસની સાથે વાતચીતમાં દિલીપ જોશીએ જણાવ્યું હતું કે તેઓ શો છોડી રહ્યા નથી, મને લાગે છે કે જ્યારે આ શો સારો ચાલી રહ્યો છે તો કોઈ કારણોસર કેમ છોડવો પડે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ શોના કારણે મને દર્શકો તરફથી ખુબ પ્રેમ મળ્યો છે અને તેઓ ખરાબ કરવા માંગતા નથી. તેમણે ઉમેર્યું હતું કે, લોકો અમને ખુબ પ્રેમ કરે છે અને હું કોઈ કારણોસર બર્બાદ કરવાનું કેમ વિચાર્યું? આ રીતે દિલીપ જોશીએ સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ શોમાં જેઠાલાલની ભૂમિકામાં નજરે પડતા રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news