Ranbir Alia Fight: બાળકના જન્મ પહેલા ઝગડવા લાગ્યા રણબીર આલિયા, આ નાની વાત પર થઈ બબાલ

Ranbir On Fighting With Alia: રણબીર કપૂરે હાલમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેની આ દિવસોમાં આલિયા સાથે લડાઈ ચાલી રહી છે અને આ બબાલ બાળકના ઉછેરને લઈને થઈ રહી છે. 
 

Ranbir Alia Fight: બાળકના જન્મ પહેલા ઝગડવા લાગ્યા રણબીર આલિયા, આ નાની વાત પર થઈ બબાલ

નવી દિલ્હીઃ Ranbir Kapoor Alia Bhatt Fight: બોલીવુડની જાણીતી જોડી છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ. આ બંને વિશે ફેન્સ હંમેશા જાણવાનો પ્રયાસ કરે છે. બંનેની જોડીને સાથે જોવી ફેન્સ માટે કોઈ ટ્રીટ સમાન છે. જલદી આ કપલ માતા-પિતા બનવાના છે અને ફેન્સ રાહ જોઈ રહ્યાં છે કે આલિયા અને રણબીરનું બાળક ક્યારે દુનિયામાં આવશે. પરંતુ બાળકના જન્મ પહેલા રણબીર અને આલિયા લડવા લાગ્યા છે અને કારણ જાણીને તમે પણ ચોંકી જશો. રણબીરે પોતાની આ લડાઈ વિશે ખુદ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે. 

બાળક માટે થઈ ગઈ બધી તૈયારીઓ
બોલીવૂડની સૌથી ક્યૂટ જોડી રણબીર અને આલિયા ભટ્ટ જલદી માતા-પિતા બનવાના છે. અભિનેત્રીએ જૂનમાં એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાના ગર્ભવતી હોવાની જાણકારી ફેન્સને આપી હતી. આલિયા પ્રેગનેન્ટ હોવાના સમાચાર મળતા તેના ફેન્સનું એક્સાઇટમેન્ટ વધી ગયું છે. હવે હાલમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન રણબીર કપૂરે જણાવ્યું કે તેણે પોતાના બાળકની આ દુનિયામાં આવવાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. પરંતુ આ સાથે કપલનો એક નાની વાતને લઈને ઝગડો થઈ ગયો છે. તેણે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં કહ્યું- અમે બધી તૈયારી કરી લીધી છે, પત્નીનો રૂમ તૈયાર છે.

પુસ્તકને લઈને થઈ ચર્ચા
રણબીર કપૂરે જણાવ્યું કે તેણે બાળકની જરૂરીતાય પ્રમાણે તૈયારી કરી લીધી છે. તો આલિયાએ કહ્યું કે તેનું ચેકલિસ્ટ પણ તૈયાર છે. સાથે રણબીર કપૂરે જણાવ્યું કે પેરેટિંગને લઈને આલિયા ભટ્ટની સાથે એક વાતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. રણબીરે કહ્યું- એક પુસ્તકને લઈને અમારી લડાઈ થઈ રહી છે. આલિયાએ તે પુસ્તક વાંચી લીધુ છે અને તે ઈચ્છે છે કે હું પણ તેને વાંચુ. મેં માત્ર 30 ટકા પુસ્તક વાંચ્યુ અને મેં આલિયાને કહ્યું કે સાંભળ આ પુસ્તક આપણને જણાવશે નહીં કે આપણે બાળકનો ઉછેર કઈ રીતે કરવો છે. જ્યારે તે થશે ત્યારે તેનો અનુભવ આપણે કરી શકશું. રણબીરે કહ્યું કે આ વાતને લઈને બંને વચ્ચે તકરાર થઈ હતી. 

રણબીરની ફિલ્મ
વર્ક ફ્રંટની વાત કરીએ તો હાલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ હતી. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર અને આલિયા સિવાય મૌની રોય અને અમિતાભ બચ્ચન પણ જોવા મળ્યા હતા. તો આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને નાગાર્જુને કેમિયો કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત રહી. હવે આ ફિલ્મનો બીજો પાર્ટ દેવ 2024માં રિલીઝ થશે, જેની તૈયારી અયાન મુખર્જીએ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news