આજે અયોધ્યામાં દીપોત્સવનું આયોજન કરાયું, ભગવાન રામની નીકળશે શોભાયાત્રા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની યોગી સરકાર (Yogi Government) અયોધ્યા (Ayodhya)માં ધૂમધામથી દીપોત્સવની તૈયારીઓમાં લાગી છે. આજે તમામ ઘાટો અને આખી અયોધ્યામાં પાંચ લાખ 51 હજાર દિપક પ્રગટાવવામાં આવશે. આ સાથે જ 226 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થશે. કાર્યક્રમમાં પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ફિજી ગણરાજ્યના ઉપસભાપતિ અને સાંસદ વીણા ભટનાગર ઉપરાંત પ્રદેશના તમામ મંત્રીઓ હાજર રહેશે. આ વખતે યુપી સરકાર વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીમાં લાગી છે. આજે સમગ્ર રામનગરીમાં 5 લાખ 51 હજાર દિવડા પ્રગટાવવામાં આવશે.

Trending news