One more gadhvi News

આપને વધારે એક ગઢવી મળ્યાં, 300 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાંથી આપમાં પ્રયાણ
વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતી છે. એક તરફ નરેશ પટેલ અને પ્રશાંત કિશોર જેવી હસ્તીઓ આવી રહી હોવાનાં કારણે ખુશીનો માહોલ છે. તો બીજી તરફ એક પછી એક પાયાના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભાજપ અને આમ આદમી પાર્ટી તરફ પ્રયાણ કરી રહ્યા છે. હાલમાં જ સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતા વશરામ સાગઠિયા અને ઈન્દ્રનિલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીનો પાલવ પકડ્યાની શાહી સુકાઇ નથી ત્યાં કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને સિનિયર નેતા કૈલાશ ગઢવીએ પણ કોંગ્રેસને બાય બાય કરી દીધું છે. ગઢવીએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આવતીકાલે આમ આદમી પાર્ટીમાં અધિકારીક રીતે જોડાશે. તેમણે ટ્વિટર પર કેજરીવાલ સાથેની મુલાકાતનો ફોટા પણ શેર કર્યો હતા.
Apr 23,2022, 19:48 PM IST

Trending news