IPL 2019: આશીષ નેહરા નવી સીઝન માટે RCBનો કોચ બન્યો

39 વર્ષીય આશીષ નેહરા દિલ્હી ડેયરડેવિલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, પુણે વોરિયર્સ, ચેન્નઈ સુપરકિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આઈપીએલમાં રમી ચુક્યો છે. 

IPL 2019: આશીષ નેહરા નવી સીઝન માટે RCBનો કોચ બન્યો

નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર બેંગલુરૂ (આરસીબી)ના બોલિંગ કોચ આશીષ નેહરાને ફરીથી કોચ બનાવવામાં આવ્યો છે. તે ગૈરી કર્સ્ટનની સાથે કોચિંગ નેતૃત્વ ટીમનો ભાગ રેહેશે. નેહરા ગત સીઝનમાં આરસીબી સાથે જોડાયો હતો. 

તેણે કહ્યું, અંતિમ સત્રમાં મને આરસીબી કોચિંગ ટીમ સાથે જોડાવાનું સૌભાગ્ય મળ્યું. હું ટીમ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું તેમણે કોચિંગ નેતૃત્વ પદ માટે મારા નામ પર વિચાર કર્યો. હું તેમની સાથે સફળ સત્રની રાહ જોઈ રહ્યો છે. 

39 વર્ષીય નેહરાએ રમતના તમામ ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં ભારતીય ટીમને બે ક્રિકેટ વિશ્વકપ, બે એશિયા કપ અને ત્રણ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. 

આરસીબીના ચેરમેન સંજીવ ચુડીવાલાએ કહ્યું કે, નેહરા અને કર્સ્ટન કેપ્ટન વિરાટ કોહલીની સાથે મળીને ટીમને સારૂ પ્રદર્શન કરાવવામાં મદદ કરશે. 

તેમણે કહ્યું, અમે આશીષ નેહરાને આરસીબી કોચિંગ નેતૃત્વ ટીમનો ભાગ બનાવીને ખુશ છીએ. નેહરા અને કર્સ્ટન કોહલીની સાથે મળીને ટીમના સારા પ્રદર્શન માટે મદદ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news