પંત-રાહુલ કે હાર્દિક નહીં...રોહિત પછી આ ખેલાડી હશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, દિગ્ગજ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી

Champions Trophy 2025 : રોહિત શર્મા તેની કારકિર્દીના આરે છે, ત્યારે ભારતીય ટીમ મેનેજમેન્ટ ભવિષ્ય માટે રોડમેપ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે પૂર્વ ક્રિકેટર સંજય બાંગરે ભારતીય ટીમના ભાવિ કેપ્ટન અંગે ભવિષ્યવાણી કરી છે. તો આ વાતને નવજોત સિંહ સિદ્ધુએ પણ સમર્થન આપ્યું હતું.

1/6
image

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા ટ્રોફીથી બહુ દૂર નથી. કેપ્ટન રોહિત શર્માની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. પરંતુ હવે હિટમેન તેની કારકિર્દીના આરે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ ભવિષ્ય માટે રોડમેપ તૈયાર કરવામાં વ્યસ્ત છે.   

2/6
image

પૂર્વ ક્રિકેટર સંજય બાંગરે ભાવિ કેપ્ટનની ભવિષ્યવાણી કરી છે. તો નવજોત સિંહ સિદ્ધુએ પણ બાંગરની વાતને સમર્થન આપ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીમાં રવિવારે  ભારતે પાકિસ્તાન સામેની છ વિકેટે હરાવ્યું હતું.   

3/6
image

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પાકિસ્તાન સામેની જીતમાં શુભમન ગિલે 46 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. સંજય બાંગરે કહ્યું કે, ગિલ એવો ખેલાડી છે જે આગામી વર્ષોમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. તેનો પાયો ખરેખર મજબૂત છે.

4/6
image

સિદ્ધુએ પણ ગિલની પ્રશંસા કરી છે, ગિલ 50 ઓવરના ફોર્મેટમાં શાનદાર ફોર્મમાં છે. સિદ્ધુએ કહ્યું કે જો વટવૃક્ષની નીચે કશું ઉગતું નથી અને ભારતીય ક્રિકેટના વટવૃક્ષ મૂળરૂપે રોહિત શર્મા અને વિરાટ કોહલી છે. પરંતુ જ્યારે તમે શુભમન ગિલને જુઓ છો, ત્યારે આ ખેલાડી તે વટવૃક્ષની છાયામાંથી બહાર આવ્યો છે અને પરિપક્વ થયો છે.

5/6
image

કેએલ રાહુલ, ઋષભ પંત અને હાર્દિક પંડ્યા પણ કેપ્ટનશિપની રેસમાં છે. કેએલ રાહુલ હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમનો ભાગ છે. પરંતુ રિષભ પંતને અત્યારે તક મળી નથી. 

6/6
image

આ સાથે જ હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. પરંતુ ટી-20માં તેને સાઇડલાઇન કરવામાં આવ્યો અને સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો. હાર્દિકની જગ્યાએ શુભમન ગિલને વાઇસ કેપ્ટનશિપ આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં ગિલને ભાવિ કેપ્ટન માનવામાં આવી રહ્યો છે.