આખી રાત પલાળી રાખીને સવારે આ વસ્તુઓ ખાવાથી બીમારીઓ તમારાથી ભાગશે 100 ફૂટ દૂર

અમે તમને એવી 8 વસ્તુઓ બતાવવા જઈ રહ્યાં છીએ જેને રાત્રે પાણીમાં પલાળી રાખીને સવારે ખાવાથી થાય છે અનેક ફાયદા. બીમારી ખુદ તમારાથી દૂર ભાગે છે

જિનેશ સોની, અમદાવાદઃ બિમારીથી દૂર રહેવા માટે ડાયટ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ અમુક વસ્તુઓ ખાવાની સાચી ખબર હોવી ખૂબ જરૂરી છે. ઘણા ખરા લોકો નથી જાણતા કે ઘણા એવા ફૂડ છે, જે આખી રાત પાણીમાં પલાળ્યા બાદ તેની તાકાત બમણી થઈ જાય છે. વડીલો કહેતા હતા કે કોઈ વસ્તુને આખી રાત પલાળીને બીજે દિવસે સવારે ખાવાથી ફાયદો થાય છે. અને શરીરને પણ સ્વસ્થ રાખે છે. ત્યારે અમે તમને એવી 8 વસ્તુઓ બતાવવા જઈ રહ્યાં છીએ જેને રાત્રે પાણીમાં પલાળી રાખીને સવારે ખાવાથી થાય છે અનેક ફાયદા. બીમારી ખુદ તમારાથી દૂર ભાગે છે. કઈ એવી વસ્તુઓ છે જુઓ આ યાદી. 

 

બદામ

1/8
image

પાંચ કે છ બદામ આખી રાત પાણીમાં પલાળી દો. અને પલાળેલી બદામ સવારે ખાવાથી આંખની રોશની અને મગજ તેજ બને છે. આ સાથે જ કેન્સર જેવી ગંભીર બિમારી સામે પણ રક્ષણ મેળવી શકાય છે.

વરિયાળી

2/8
image

વરિયાળીને પલાળીને ખાવાથી અથવા તેનું પાણી પીવાથી યુરિનની સમસ્યાથી બચી શકાય છે. એટલું જ નહીં પલાળેલી વરિયાળી ખાવાથી પાચનતંત્ર વ્યવસ્થિત થાય છે. વરિયાળી ખાવાથી આંખની રોશની પણ તેજ થાય છે.

કાળી દ્વાક્ષ

3/8
image

કાળી દ્વાક્ષમાં મેગ્નેશિયમ, પોટેશિયન અને આર્યનનો ભંડાર હોય છે. કાળી દ્વાક્ષને પલાળીને ખાવાથી સ્કિન હેલ્ધી બને છે અને સ્ક્રીન પર પડેલા કાળા દાગ પણ દૂર થાય છે. જો તમે એનોમિયા અને કિડનીની સમસ્યાથી પીડાતો હોવો તો દરરોજ કાળી દ્વાક્ષનું સેવન કરો, બિમારીમાંથી છુટકારો મળશે. જે લોકોને બીપીની તકલીફ હોય તેવા લોકોએ દરરોજ સેવન કરવું જોઈએ.

અળસી

4/8
image

અળસીમાં ઓમેગા-3 ભરપૂર માત્રામાં હોય છે. અળસીને ફેટી એસિડનો એકમાત્ર શાકાહારી સ્ત્રોત માનવામાં આવે છે. નિયમિત રીતે અળસીને  પલાળીને ખાવાથી શરીરમાંથી કોલેસ્ટોલ ઘટે છે. જેથી હાર્ટ અને શરીર બંને સ્વસ્થ રહે છે.

ખસખસ

5/8
image

લાડુ પર લગાવવામાં આવતી ખસખસ ખૂબ ફાયદાકારક છે. ખસખસમાં ફોલેટ,થિયામિન અને પેટોથેનિક એસિડ હોય છે. ખસખસમાં રહેલુ વિટામીન બી આપણા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે. ખસખસનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે. ખસખસને પલાળીને ખાવાથી શરીરનું ફેટ વધતું નથી.

ફળગાવેલા મગ

6/8
image

ફળગાવેલા મગમાં પ્રોટીન, ફાઈબર અને વિટામીન બી ભરપૂર માત્રામાં હોય છે. ફળગાવેલા મગ ખાવાથી કબજિયાત અને ગેસની સમસ્યા નથી રહેતી. હાઈ બીપીના દર્દીઓએ ફણગાવેલા મગનું દરરોજ સેવન કરવું જોઈએ. ફળગાવેલા મગ આસાનીથી પચી જાય છે.

મેથીના દાણા

7/8
image

મેથીના દાળામાં ભરપૂર ફાઈબર હોય છે. જે આપાણા પેટમાં રહેલી કબજીયાતને દૂર કરીને આંતરડાને સાફ કરે છે. એટલું જ નહીં મેથીના દાણાના સેવનથી ડાયાબિટસ પણ કંટ્રોલમાં રહે છે. મેથીના દાણાને પલાળીને ખાવાથી મહિલાઓને પીરીયડ દરમિયાન જે દર્દ થાય છે તેમાંથી આંશિક રાહત રહે છે. મેથીનું નિયમિત સેવન કરવાથી કમરનો દુખાવો દૂર થાય છે..

અંજીર

8/8
image

દરરોજ 4થી 5 પલાળેલા અંજીર ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. અંજીરમાં ઓમેગા 3-6 ફેટી એસિડ ભરપૂર માત્રામાં  હોય છે. જે હાર્ટ એટેકથી દૂર રાખે છે. આ સિવાય અંજીરમાં કેલ્શિયમ પણ હોય છે જે હાડકાને મજબૂત કરે છે..