Diwali 2024: દિવાળી પર સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થાય તેવી ઈચ્છા હોય તો પૂજા સંબંધિત આ વાતો યાદ રાખવી

Diwali 2024 : દિવાળી સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતાનો પર્વ છે. આ દિવસે જો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો દિવાળી આવે તે પહેલાં ઘરમાંથી કેટલીક વસ્તુઓ બહાર કરી દેવી જોઈએ. આ વસ્તુઓ એવી છે જે ઘરમાં નકારાત્મકતા આકર્ષે છે. દિવાળીની સફાઈ દરમિયાન આ વસ્તુઓને દૂર કરી દેવી જોઈએ અને પૂજા સંબંધિત કેટલીક વાતો યાદ રાખવી જોઈએ. 

દિવાળીનો તહેવાર

1/7
image

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવાળીની રાત દરેક વ્યક્તિ માટે સિદ્ધિદાયક હોય છે. આ દિવસે ભગવાન ગણપતિ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર શુભ રહે તે માટે કેટલીક તૈયારીઓ અગાઉથી જ કરી લેવામાં આવે છે. જેથી દિવાળીની પૂજા નું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય.

વધારાની વસ્તુ કરો દૂર 

2/7
image

એક એક કરીને ઘરમાં અને નકામી વસ્તુઓ એકઠી કરી લેવામાં આવે છે. જે વસ્તુ ઉપયોગી ન હોય તેના દિવાળીની સાફ સફાઈ દરમિયાન ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ. ઉપયોગમાં ન આવતી વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા વધારે છે અને તેનાથી દરિદ્રતા પણ વધે છે. 

આળસ ત્યાગો

3/7
image

દિવાળીના પર્વ દરમિયાન ફક્ત પૂજા કરવાથી જ નહીં પરંતુ આળસનો ત્યાગ કરવાથી પણ માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દિવાળીના પર્વ દરમિયાન નવા સંકલ્પો નવા વિચારો અને નવી યોજનાઓ સાથે આગળ વધો. આળસ ત્યાગો અને દિવસની શરૂઆત શુદ્ધતા સાથે કરો. 

મહાનિષિદ્ધ કાળ

4/7
image

દિવાળીની રાત અમાસની રાત હોય છે. આ દિવસે પૂજા પાઠ કરવાનું અને દીપ પ્રજ્વલિત કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ રાત્રે માતા લક્ષ્મીની આરતી કરવી જરૂરી છે. માતા લક્ષ્મીની આરતી અને ઉપાસના મહાનિષિદ્ધ કાળમાં કરવી જોઈએ તેનાથી દરિદ્રતાનો નાશ થાય છે.

કમલગટ્ટાની માળા

5/7
image

માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા હોય તો દિવાળીની રાત્રે કમલ ગટ્ટાની માળાથી માતા લક્ષ્મીના મંત્રનો 108 વખત જાપ કરવો. તેનાથી આર્થિક સમૃદ્ધિ વધે છે અને માનસિક શાંતિ મળે છે. 

કમલાસન

6/7
image

દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે તેમને કમળના ફુલના આસન પર બિરાજમાન કરો. માતા લક્ષ્મીને કમળનું ફુલ પ્રિય છે. તેઓ કમલાસન પર જ બિરાજમાન હોય છે. તેથી દિવાળીની રાત્રે કમળ ના ફૂલ નું આસન તૈયાર કરી માતાની મૂર્તિ તેના પર સ્થાપિત કરો.

7/7
image