અંબાજીથી કઠલાલ જતી બસ પલટી જતા 4 ના મોત, 45થી વધુ લોકોને ગંભીર ઈજા, સામે આવી તસવીરો

ઝી બ્યૂરો, અમદાવાદઃ અંબાજીથી પરત ફરતી બસને અકસ્માત નડ્યો હતો. અંબાજીથી આ બસ કઠલાલ તરફ જઈ રહી હતી. બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા. પ્રાપ્ત માહિતી મુજબ અંબાજીથી પરત ફરતી બસને મોટો અકસ્માત થયો હતો. કઠલાલ જતી બસ અચાનક પલટી ગઈ હતી. ત્રિશુલિયા ઘાટમાં લક્ઝરી બસ પલટી જતા 4થી વધુનાં મોત થયા હોવાની ખબર સામે આવી છે. આ ઉપરાંત આ બસમાં સવાર 45 થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. કઠલાલના મુસાફરો અંબાજીથી દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માત થયો. પોલીસે, 108 અને સ્થાનિકોએ ઈજાગ્રસ્તોનું રેસ્ક્યૂ કર્યું. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં છે.
 

1/6
image

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image