Bank Holiday : બુધવારે બેંકો રહેશે બંધ, RBIએ 19 ફેબ્રુઆરીએ કેમ આપી રજા ?

Bank Holiday : 19 ફેબ્રુઆરી બુધવારે પણ બેંકો બંધ રહેશે. મોટાભાગના બેંક ગ્રાહકોના મનમાં સવાલ હશે કે બુધવારે બેંકો કેમ બંધ રહેશે. RBIએ 19 ફેબ્રુઆરીએ કેમ રજા જાહેર કરી છે. ત્યારે આ લેખમાં બુધવારે બેંકો બંધ રહેવા પાછળનું કારણ જાણીશું. 

1/6
image

તમામ રાષ્ટ્રીય અને સ્થાનિક તહેવારો, વર્ષગાંઠો, રવિવાર, બીજા શનિવાર અને દર મહિનાના ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. પ્રથમ, ત્રીજા અને પાંચમા શનિવારે તમામ બેંક શાખાઓ ખુલ્લી રહે છે. ફેબ્રુઆરી મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેશે.

2/6
image

ત્યારે 19 ફેબ્રુઆરી બુધવારે પણ બેંકો બંધ રહેશે. મોટાભાગના બેંક ગ્રાહકોના મનમાં સવાલ હશે કે બુધવારે બેંકો કેમ બંધ રહેશે. RBIએ 19 ફેબ્રુઆરીએ કેમ રજા જાહેર કરી છે. 

3/6
image

તમને જણાવી દઈએ કે માત્ર મહારાષ્ટ્રમાં બુધવારે બેંકો બંધ રહેશે. અન્ય તમામ રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે. તેથી ગ્રાહકોને બેંક સંબંધિત કામ અગાઉથી પતાવી લેવા સલાહ આપવામાં આવી છે. જો કે, નેટ બેન્કિંગ અને ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે.   

4/6
image

RBIએ શહેર અને રાજ્ય અનુસાર, બેંક રજાઓ જાહેર કરી છે. 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે બેલાપુર, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ રહેશે.  

5/6
image

છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ દર વર્ષે 19 ફેબ્રુઆરીએ સમગ્ર મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મહાન મરાઠા યોદ્ધા અને કુશળ પ્રશાસક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. 

6/6
image

આ પ્રસંગે મહારાષ્ટ્રમાં સરઘસ, ઝાંખી, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. લોકો શિવાજી મહારાજની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરે છે. આ દિવસે તેમની બહાદુરીને યાદ કરવાનો અવસર છે. તેથી આ દિવસે મહારાષ્ટ્રમાં બેંકો બંધ રહેશે.