Jammu and Kashmir: શ્રીનગરમાં આતંકી હુમલામાં પોલીસ ઇન્સ્પેક્ટર શહીદ

જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકીઓએ એક પોલીસ અધિકારીને નિશાન બનાવ્યા છે. 
 

Jammu and Kashmir: શ્રીનગરમાં આતંકી હુમલામાં પોલીસ ઇન્સ્પેક્ટર શહીદ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ એકવાર ફરી હુમલો કર્યો છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના નૌગામ વિસ્તારમાં મંગળવારે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ના એક પોલીસ અધિકારીની આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી દીધી છે. 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શહેરના નૌગામ વિસ્તારના કનિપોરામાં આતંકીઓએ પોલીસ નિરીક્ષક પરવેઝ પર તેના આવાસ પર ગોળી મારી ઘાયલ કરી દીધો. તેમણે જણાવ્યું કે, અધિકારીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું નિધન થયું છે. પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની તપાસ શરૂ કરી છે. 

(visual deferred by unspecified time) pic.twitter.com/7NMAZJ0rBF

— ANI (@ANI) June 22, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news