543 લોકસભા સાંસદોમાંથી 251 વિરુદ્ધ નોંધાયા છે કેસ, આ રાજ્યમાં સૌથી ખરાબ હાલત, જાણો ગુજરાત વિશે

Lok Sabha MP: સુપ્રીમ કોર્ટે રાજકારણના ગુનાહિતકરણને એક મોટો મુદ્દો ગણાવ્યો છે.  બેન્ચ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોનો ઝડપી નિકાલ લાવવા ઉપરાંત દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.
 

543 લોકસભા સાંસદોમાંથી 251 વિરુદ્ધ નોંધાયા છે કેસ, આ રાજ્યમાં સૌથી ખરાબ હાલત, જાણો ગુજરાત વિશે

Lok Sabha MP: તેલંગાણાના 17 સાંસદોમાંથી 14 સાંસદો પર ફોજદારી કેસ ચાલી રહ્યા છે. ઓડિશાના 21 માંથી 16 સાંસદો અને ઝારખંડના 14માંથી 10 અને તમિલનાડુના 39 માંથી 26 સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. 

રાજકારણના ગુનાહિતકરણ અંગે સુપ્રીમ કોર્ટમાં ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. આ દર્શાવે છે કે 543 લોકસભા સાંસદોમાંથી 251 સામે ફોજદારી કેસ પેન્ડિંગ છે. તેમાંથી, 170 પર એવા ગુનાઓનો આરોપ છે જેમાં 5 કે તેથી વધુ વર્ષની જેલની સજા થઈ શકે છે. વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાએ ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહનની બેન્ચ સમક્ષ 83 પાનાનો અહેવાલ રજૂ કર્યો હતો, જે વિવિધ ઉચ્ચ અદાલતોના ડેટાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો હતો. આ મુજબ, કેરળના 20 માંથી 19 સાંસદો (95%) સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાંથી 11 ગંભીર કેસ છે.

તેલંગાણાના 17 સાંસદોમાંથી 14 (82%) પર ફોજદારી કેસ ચાલી રહ્યા છે. ઓડિશાના 21 માંથી 16 (76%) સાંસદો, ઝારખંડના 14 માંથી 10 (71%) અને તમિલનાડુના 39 માંથી 26 (67%) સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, કર્ણાટક, આંધ્ર પ્રદેશના લગભગ 50% સાંસદો સામે ફોજદારી કેસ છે.

માહિતી અનુસાર, હરિયાણાના 10 અને છત્તીસગઢના 11 સાંસદોમાંથી ફક્ત એક જ સાંસદ પર ફોજદારી આરોપો લાગ્યા છે. પંજાબના 13માંથી 2, આસામના 14માંથી 3, દિલ્હીના 7માંથી 3, રાજસ્થાનના 25માંથી 4, ગુજરાતના 25માંથી 5 અને મધ્યપ્રદેશના 29માંથી 9 વિરુદ્ધ ફોજદારી કેસ પેન્ડિંગ છે.

રાજકારણના ગુનાહિતીકરણ પર સુપ્રીમ કોર્ટ ચિંતિત

સુપ્રીમ કોર્ટે રાજકારણના ગુનાહિતકરણને એક મોટો મુદ્દો ગણાવ્યો છે. કોર્ટે પ્રશ્ન કર્યો કે ફોજદારી કેસમાં દોષિત ઠર્યા પછી કોઈ વ્યક્તિ સંસદમાં કેવી રીતે પાછો ફરી શકે છે. તેથી, ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહનની બનેલી બેન્ચે આ મુદ્દે ભારતના એટર્ની જનરલ પાસેથી મદદ માંગી. બેન્ચ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોનો ઝડપી નિકાલ લાવવા ઉપરાંત દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8 અને 9 ની બંધારણીય માન્યતાને પડકારવા પર કેન્દ્ર અને ભારતના ચૂંટણી પંચ પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news