બાળકોને ઓરીથી કેમ છે સૌથી વધારે ખતરો? જાણો ઓરીના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

શું ઓરી એ ચેપી રોગ છે? નાના બાળકો કેમ આ રોગની ઝડપથી આવે છે ઝપેટમાં? શું છે ઓરીના લક્ષણો? ઓરીથી બચવા માટે નિષ્ણાતો આપી રહ્યાં છે શું સલાહ જાણો...

બાળકોને ઓરીથી કેમ છે સૌથી વધારે ખતરો? જાણો ઓરીના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઓરીનો કહેર વધી રહ્યો છે. દિનપ્રતિદિન ઓરીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દવાખાનાઓ અને સરકારી હોસ્પિટલોમાં ઓરીના કેસોમાં ભરાવો થઈ રહ્યો છે. બાળકો ખુબ જ ઝડપથી આ રોગની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે જાણીએ કે શું છે ઓરીના લક્ષણો? તેનાથી બચવા માટે શું તકેદારી રાખવી? અને આ રોગ વિશે શું કહી રહ્યાં છે નિષ્ણાતો?

ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી બાળકોમાં ઓરીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને નવેમ્બર મહિનામાં ઓરીના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં નવેમ્બર માસ દરમિયાન 1650 બાળકોને ઓરી થયા હતા. જ્યારે 9 બાળકોના તેનાથી મૃત્યુ થયા છે. નવેમ્બરમાં ઓરીથી સૌથી વધારે મૃત્યુ પામ્યા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે. લોકસભાના શિયાળુ સત્રમાં સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે નવેમ્બરમાં બાળકોના ઓરીના કેસમાં વધારો થયો છે. સમગ્ર દેશમાં નવેમ્બર મહિનામાં 10,416 બાળકોને ઓરી થયો. જ્યારે 40 બાળકોના મોત થયા. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 3075 કેસ નોંધાયા. અને 13 બાળકોના મોત થયા. જેના પછી સૌથી વધુ કેસમાં ઝારખંડ બીજા નંબરે અને ગુજરાત ત્રીજા નંબરે છે. ત્યારબાદ હરિયાણા અને બિહારનો નંબર આવે છે.

અન્ય રાજ્યોમાં ઓરીના કેસોઃ
રાજ્ય  મહારાષ્ટ્ર
કેસ 3075
મૃત્યુ13

રાજ્ય  ઝારખંડ
કેસ 2683
મૃત્યુ08

રાજ્ય  ગુજરાત
કેસ 1650
મૃત્યુ09

રાજ્ય  હરિયાણા
કેસ 1537
મૃત્યુ03

રાજ્ય  બિહાર
કેસ 1276
મૃત્યુ07

ઓરીના લક્ષણો:
સખત તાવ
ત્વચા પર લાલ ફોલ્લીઓ
વધારે ઉધરસ
સ્નાયુમાં દુ:ખાવો
ગળું સૂકું રહેવું
આંખમાં ઝાંખપ આવવી

ડો.અભય શાહ સિનિયર પિડિયાટ્રિશને ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, જેણે ઓરીની રસી નથી અપાઈ તેને ઓરીની રસી અપાવવી જરૂરી છે. બાળકોને તેની સૌથી વધુ અને સૌથી ઝડપી અસર થાય છે. ઓરી એક પ્રકારનો ચેપી રોગ છે. એક વ્યક્તિને થાય તો બીજા સાતથી આઠ લોકો કે બાળકને ઓરી થઈ શકે છે. આઈસોલેશનમાં રાખવું જરૂરી છે. બહાર જવું જોઈએ નહીં. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યુંકે, ઓરીના કેસ વધી રહ્યાં છે. આવા દર્દીઓને વિટામિન A ના ડોઝ આપવામાં આવી રહ્યાં છે. આશા વર્કર દ્વારા 1.38 બાળકોને ઓરીની રસી આપવામાં આવી છે. હાલ અર્બન હેલ્થ સેન્ટર પણ રસીકરણની કામગીરી ચાલુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news