ગુજરાત સરકારની છૂટછાટોની જાહેરાત વચ્ચે જાણો પાન-મસાલાની દુકાન, બ્યૂટી પાર્લર ક્યારે ખૂલશે

ગુજરાતમાં પણ લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. સતત વધી રહેલા કેસો સામે ગુજરાત સરકારનો કોઈ અંકુશ રહ્યો નથી. ગુજરાતમાં કોરોનાના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા ગુજરાતમાં શુ છૂટછાટ અપાશે અને શુ નહિ તેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ગુજરાતના 6 નગરપાલિકામાં કોઈ છૂટછાટ નહિ મળે. રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત શહેરોને જિલ્લાઓમાં વધુ કડકાઈનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય, પણ રાજકોટ મહાનગરને પણ રેડ ઝોન જ લાગુ રહેશે. રાજકોટ શહેરને પણ કોઈ વધુ છૂટછાટ નહિ અપાય. આગામી 2 અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ ઘટાડી બહાર આવવાનો લક્ષ્યાંક બનાવાયો છે. 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ. 
ગુજરાત સરકારની છૂટછાટોની જાહેરાત વચ્ચે જાણો પાન-મસાલાની દુકાન, બ્યૂટી પાર્લર ક્યારે ખૂલશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં પણ લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. સતત વધી રહેલા કેસો સામે ગુજરાત સરકારનો કોઈ અંકુશ રહ્યો નથી. ગુજરાતમાં કોરોનાના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા ગુજરાતમાં શુ છૂટછાટ અપાશે અને શુ નહિ તેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ગુજરાતના 6 નગરપાલિકામાં કોઈ છૂટછાટ નહિ મળે. રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત શહેરોને જિલ્લાઓમાં વધુ કડકાઈનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય, પણ રાજકોટ મહાનગરને પણ રેડ ઝોન જ લાગુ રહેશે. રાજકોટ શહેરને પણ કોઈ વધુ છૂટછાટ નહિ અપાય. આગામી 2 અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ ઘટાડી બહાર આવવાનો લક્ષ્યાંક બનાવાયો છે. 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ. 

રાજ્ય સરકારનો નિર્ણય : 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ

બોટાદ, બોપલ, ગોધરા, ઉમરેઠ નગરપાલિકા વિસ્તારોમાં પણ પ્રતિબંધ યથાવત રહેશે. અહી અગાઉ જે પ્રતિબંધ હતા તે યથાવત રહેશે. અહી જીવનજરૂરિયાતની વસ્તુ અને સેવા, અનાજ, દૂધ, કરિયાણું, શાકભાજી ને દવા સિવાય કોઈપણ જાતની દુકાનો ખોલવાની કે ઓફિસ ખોલવાની મંજૂરી આપવામાં નહિ આવે. અગાઉની શરતો પણ યથાવત રહેશે. જૂનાગઢ અને જામનગર નગરપાલિકા અને 6 મહાનગરપાલિકા ને બાદ કરતા 156 નગરપાલિકાઓમાં કામકાજ શરૂ કરવામાં આવશે. 

  • દારૂની પરમીટ દુકાનો પણ બંધ રહેશે. બે અઠવાડિયા સુધી દરેક ઝોનમાં બંધ રહેશે. 
  • પાન માવા-મસાલાની દુકાનો કોઈ પણ દુકાનોમાં બંધ રહેશે. બે અઠવાડિયા સુધી પાન મસાલાની દુકાન રાજ્યમાં સંપૂર્ણ બંધ રહેશે.
  • ઓરેન્જ ઝોનમાં વધુ છૂટછાટ અપાઈ છે. ઓરેન્જ ઝોનમાં હવેથી વાળંદની દુકાન, હેરકિટંગ સલૂન, ચાની દુકાન, બ્યુટી પાર્લરને પણ હવે ચાલુ કરવામાં આવશે. 
  • ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ટેક્સી અને કેબની સેવાઓ પણ ચાલુ કરી શકાશે. જોકે તેના માટે વન પ્લસ 2 ના નિયમનું પાલન કરવું પડશે
  • ગ્રીન ઝોન જિલ્લામાં માં એસટી બસ ચાલુ કરવામાં આવળશે. વધુમાં વધુ 30 મુસાફરો સાથે બસ દોડશે. તેતી વધુ બસેડાઈ શકાશે નહિ. જો નિયમોનું ઉલ્લંઘન કરાશે તો બસના ડ્રાઈવર અને કંડક્ટર સામે કાર્યવાહી કરાશે. 
  • અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને ગાંધીનગરમાં અગાઉની જેમ જ બે અઠવાડિયા સુધી કડકાઈથી લોકડાઉનનુ પાલન કરાશે.  

રાજ્ય સરકાર દ્વારા 20 એપ્રિલથી ઉદ્યોગોને શરતો સાથે છૂટછાટ અપાઈ હતી. તેમાં ફેરફાર કરીને નિર્ણય લેવાયો છે કે, જુનાગઢ અને જામનગર અને 6 નગરપાલિકાને બાદ કરતા 156 પાલિકામાં ઉદ્યોગો શરૂ કરી શકાશે. ફેક્ટરીમાં કર્મચારીઓનું ધ્યાન રાખવાનું રહેશે. કામમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી કામ થાય તેવુ જોવાનું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news