અમદાવાદ: અમરાઇવાડીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, 2 વ્યક્તિના મોત

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આજે બપોરે એકાએક એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી છે. આ ર્દુઘટનામાં 10 જેટલા લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. 

અમદાવાદ: અમરાઇવાડીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, 2 વ્યક્તિના મોત

અમદાવાદ: અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આજે બપોરે એકાએક ત્રણ માળનું એક મકાન ધરાશાયી થતાં જ અફરાતફી મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં 7 જેટલા લોકો દટાયા હતા. જો કે, આ ઘટનાને પગલે ફાયર સહિતની ટીમો સ્થળ પર આવી પહોંચી છે અને બાચવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મકાનના કાટમાળમાં દટાયેલા 4 લોકોને ફાયર ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. તો બીજી તરફ હજી પણ 1 વ્યક્તિ ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પ્રાથમિક તાપમાં 2 વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના અમરાઇવાડી વિસ્તારમાં બંગલાવાળી ગલીમાં આવેલું એક જર્જરીત મકાન એકાએક ધસી પડ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના મકાનો પણ ખાલી કરાવી દેવામાં આવ્યા છે. જ્યાં આ મકાન આવેલું છે એ ગલી સાંકડી હોવાથી બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. તો સાથે સાથે સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં જોડાઇ ગયા છે.

જો કે, આ કાટમાળમાં 7 લોકો દટાયા હતા જેમાંથી ફાયર ટીમ દ્વારા 4 લોકોને બચાવીને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા છે અને તેમના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. તો આ મકાનના કાટમાળમાં હજી પણ 1 વ્યક્તિ દટાયા હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઇને ફાયર ટીમ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

અમરાઇવાડી વિસ્તારમાં એકાએક મકાન ધરાશાયી થવાની આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવતા બચાવ કામગીરીમાં ભારે મુશ્કલી પડી રહી હતી. જો કે, ઘટનાની જાણ થયા બાદ ઘટના સ્થળે પહોંચા પોલીસ કાફલાએ ભીડ પર કાબૂ મેળવ્યો હતો. 

જુઓ Live TV:-

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news