हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
9 મેના સમાચાર
9 મેના સમાચાર 0 News
murder
કચ્છનું વાગડ આજે એક જ પરિવારના 5ના કરપીણ હત્યાકાંડથી સ્તબ્ધ થયું, બહેરમીથી મોતને ઘાટ
રાપર તાલુકાના હમીરપર ગામે આજે ખેલાયેલી ખૂની હોળીમાં એક જ પરિવારના પિતા-પુત્રો અને ભાઈ સહિત પાંચ જણાંને અત્યંત ઠંડા કલેજે બેરહેમીથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જેને કારણે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. સામૂહિક નરસંહારથી લઈ જ્યાં અવારનવાર નાની-નજીવી વાતે હત્યા જેવા બનાવો બને છે તે વાગડ આજે વધુ એકવાર પાંચ-પાંચ લોકોના કરપીણ હત્યાકાંડથી સ્તબ્ધ થઈ ગયું છે. દેશી દારૂના ધંધા અને જમીનના ડખામાં થયેલી અદાવત જીવલેણ બની હતી.
May 10,2020, 0:07 AM IST
Coronavirus
સુરતથી સૌરાષ્ટ્ર સુધીના આખા ગુજરાતના કોરોનાના અપડેટ્સ જાણો એક જ ક્લિકમાં....
ગુજરાતના 32 જિલ્લામાં કોરોનાનો ફેલાવો થઈ ચૂકોય છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં કોરોના કાબૂ બહાર ગયો છે, તો કેટલાક જિલ્લા કોરોનાને ડામવામાં સફળ રહ્યાં છે. ગુજરાતના અનેક જિલ્લામાં રોજ છૂટાછવાયા કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. લોડાઉનમાં કેટલાક જિલ્લાઓની કામગીરી અત્યંત સફળ નીવડી છે. ત્યારે જો તમે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કોરોનાના અપડેટ્સ જાણવા હોય તો જોઈ લો નીચેના સમાચાર....
May 9,2020, 23:51 PM IST
Coronavirus
હવે કોરોનાના દર્દીઓને લાંબો સમય હોસ્પિટલમાં નહિ રહેવુ પડે, નવી ડિસ્ચાર્જ આવી ગઈ...
જેમ જેમ કોરોનાના કેસમા વધારો થઈ રહ્યો છે, તે મુજબ કોરોના વધુ દર્દીઓ રિકવર થઈ રહ્યાં છે. ત્યારે દર્દીઓને ડિસ્ચાર્જ આપવાની પોલિસીમાં ચેન્જ કરવામાં આવ્યો છે તેવી જાહેરાત આજે સાંજે આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા કરવામાં આવી છે. જોકે, રાષ્ટ્રીય સ્તરે જ દર્દીના ડિસ્ચાર્જની પોલિસીમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. જયંતી રવિએ જણાવ્યું કે, આ નવી પદ્ધતિથી દર્દીઓ ઝડપથી ઘેર જઈ શકશે. બિનજરૂરી વિલંબ નહિ થાય. RT-PCR ટેસ્ટ જરૂરિયાતમંદ દર્દીઓ માટે વધારે વાપરી શકાશે અને કોરોનાના દર્દીઓને વધારે સમય હોસ્પિટલમાં પણ નહિ રહેવું પડે.
May 9,2020, 23:00 PM IST
Coronavirus
ગુજરાત સરકારે વિજ બિલ ભરવાની મુદતમાં કર્યો વધારો
કોરોના વાયરસને કારણે ઊભી થયેલી લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના વીજ ગ્રાહકોને આર્થિક રાહત આપવા માટે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. આ નિણર્ય અનુસાર, રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીના વીજ ગ્રાહકોને માર્ચ અને એપ્રિલ માસના વીજ બિલ ભરવાની મુદત 30 મી મે 2020 સુધી લંબાવી આપવામાં આવી છે. રાજ્યના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગોને આર્થિક રાહત આપવા એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યના આવા તમામ એલટી ગ્રાહકોને તેમના એપ્રિલ માસના વીજ બિલમાં ફિક્સ ચાર્જ, ડિમાન્ડ ચાર્જ વસુલવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
May 9,2020, 22:20 PM IST
Coronavirus
રાજસ્થાન જવાની પરવાનગી સાથે આવેલ પરપ્રાંતિયોને વલસાડ પોલીસે આવવા ન દીધા
હાલ ગુજરાતમાંથી મોટાભાગના પરપ્રાંતિયો પોતાના વતન જવા રવાના થયા છે. જેમાં તેઓને પોતાના વતન પહોંચવા સુધી અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તો આજે વલસાડ જિલ્લાના તલવાડા બોર્ડર પર ફસાયેલા રાજસ્થાનવાસીઓ સાથે અનહોની ઘટના બની હતી. પરપ્રાંતિયોએ સાથે પોલીસની દબંગગીરી સામે આવી હતી. બોર્ડર પાર જવાની પરમિશન લઈને આવેલા રાજસ્થાનના લોકો પર પોલીસે લાકડીઓ વરસાવી હતી. પોલીસે પરપ્રાંતિયોને લોહીલુહાણ કર્યા હતા. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશ નહિ આપવાને લઈને પરપ્રાંતિયો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે લોકોને દોડાવી દોડાવીને માર માર્યો હતો. લોકોએ આક્ષેપ હતો કે, મહિલા સહિત, વૃદ્ધોને પણ પોલીસે દંડાવાળી હતી.
May 9,2020, 18:23 PM IST
Coronavirus
વડોદરા : કોરોના ફેલાવા માટે જમાતીને કસૂરવાર ગણતા જૈન મુનિ સૂર્યસાગર સામે ફરિયાદ નોંધ
હાલ કોરાનાની મહામારી ચાલી રહી છે ત્યારે વડોદરાના વાઘોડિયા મઢેલી ગામના જૈન સાધુએ ફેસબુક પર પોસ્ટ મૂકી વિવાદ સર્જ્યો છે. જેને લઈને વાઘોડિયા પોલીસે જૈન મુનિ સૂર્યસાગર મહારાજ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૈન મુનિ સૂર્યસાગર મહારાજે ફેસબુકના માધ્યમથી 3 દિવસ પૂર્વે પોસ્ટ કરી હતી કે, કોરોનાનો ફેલાવો જમાતીઓના કારણે થયો છે. જેને લઇને અસરફ ભાદરકા નામના યુવાને વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે. ફરિયાદને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે જૈનમુનિ સૂર્યસાગર મહારાજને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે વાઘોડિયા ડીવાયએસપી કલ્પેશ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ મામલે તપાસ થઇ રહી છે. જેમાં કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
May 9,2020, 17:18 PM IST
Coronavirus
અમદાવાદના દરેક ઝોનમાં કોરોના કેટલો પ્રસર્યો, ZEE 24 કલાક પાસેથી જાણો આંકડા
અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 5000 ને પાર પહોંચી ગયો છે. તો સાથે જ અત્યાર સુધી કુલ 338 મોત નોંધાયા છે. ગુજરાતનું મેગા સિટી અમદાવાદ (Ahmedabad) એકમાત્ર એવુ શહેર છે, જ્યાં કોરોના કાબૂ બહાર ગયો છે. અહી કેસનો આંકડો અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના દરેક ઝોનમાં કેટલા કેસ થયા છે તે જાણી લેવુ એક અમદાવાદી તરીકે જરૂરી છે. તમે તમારા ઝોન અહી અમદાવાદના સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોન, ઈસ્ટ ઝોન, સાઉથ વેસ્ટ ઝોન, નોર્થ વેસ્ટ ઝોનના આંકડા આપ્યા છે. જેમાં કયા ઝોનમાં હાલ કેટલા કેસ છે, કેટલા લોકોના મોત નિપજ્યા છે અને કેટલાક દર્દીઓ રિકવર થયા છે તેની તમામ માહિતી આપવામાં આવી છે. અમદાવાદ શહેરના આજે સવારે 9 વાગ્યા સુધીના વિસ્તાર આંકડા આ મુજબ છે. વાચકોએ નોંધ લેકી આ માત્ર અમદાવાદ શહેરના જ આંકડા છે, તેમાં અમદાવાદ ગ્રામ્યના આંકડા સામેલ નથી કરાયા.
May 9,2020, 17:44 PM IST
Trending news
Navratri 2024
ગેનીબેન ઠાકોર V/s હર્ષ સંઘવી : ગુજરાતમાં મોડે સુધી ગરબા રમવાની છૂટ પર રાજકારણ શરૂ
Shweta Basu Prasad
સેક્સ રેકેટમાં ફસાઈ હતી શાહરૂખ સાથે કામ કરી ચૂકેલી આ અભિનેત્રી, 1 રાતના 1 લાખ ચાર્જ
October
ઓક્ટોબર મહિનો ધાર્યા કરતા વધુ વિચિત્ર જશે, મહાભયંકર આગાહી આવી, વરસાદ અને ગરમીનું થશે
Navratri 2024
દીકરીઓ, ગરબા બાદ મોડી રાતે વાહન ન મળે તો આ નંબર ડાયલ કરજો, મળશે મદદ
Aarti Gupta
ભૂતની ફિલ્મોમાં હંમેશા ક્યાંકને ક્યાંક ફસાઈ જતી હતી આ હીરોઈન! જાણો આજે શું કરે છે
gujarat police
રેલવે મુસાફર માટે દેવદૂત બન્યો પોલીસ કોન્સ્ટેબલ, બચાવ્યો ન હોત તો ગયો હોત જીવ!
Health Care Tips
ફીટ રહેવા તમારા રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ 5 વસ્તુઓ, નહીં તો ભારે પડશે ભૂલ
Navratri 2024
હર્ષ સંઘવીનું મોટું નિવેદન, ગુજરાતમાં નહિ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા!
Situationship
યુવા વર્ગમાં લોકપ્રિય Situationship મેન્ટલ અને ઈમોશનલ હેલ્થ માટે સૌથી ખરાબ
Navratri 2024
નવરાત્રીના બીજા દિવસે થાય છે બ્રહ્મચારિણી માતાની આરાધના, તેમની પૂજાથી મળે છે આ સિદ્ધ