Navratri: આ દેવી મંદિરમાં દીવો પ્રગટાવવા માટે હંમેશાં રહે છે ભક્તોની લાંબી લાઈન, અલૌકિક ગાથા જાણી તમે પણ દોડીને જશો!

Harsiddhi Temple Ujjain: નવરાત્રિના 9 દિવસ માટે દેશભરના દેવી મંદિરોમાં વિશેષ શણગાર અને પૂજા કરવામાં આવે છે. ત્યારે નવરાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધિ મંદિરમાં દીવા પ્રગટાવવા માટે ભક્તોની ભીડ જોવા મળે છે.
 

Navratri: આ દેવી મંદિરમાં દીવો પ્રગટાવવા માટે હંમેશાં રહે છે ભક્તોની લાંબી લાઈન, અલૌકિક ગાથા જાણી તમે પણ દોડીને જશો!

Harsiddhi Mata Mandir Ujjain: આજે શારદીય નવરાત્રિનું છઠ્ઠું નોરતું છે. દેશભરમાં શારદોત્સવ ચરમસીમાએ છે. અષ્ટમી-નવમી તિથિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દેશના તમામ દેવી માતાના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. ઉજ્જૈનનું માતા હરસિદ્ધિ મંદિર પણ આવું જ છે, જ્યાં દરરોજ ભક્તોની ભીડ વધી રહી છે. આ મંદિર દેવીના શક્તિપીઠોમાંથી એક છે. પૌરાણિક કથાઓ અનુસાર અહીં માતા સતીના જમણા હાથની કોણી પડી હતી. આ મંદિર એટલા માટે પણ ખાસ છે કારણ કે ઉજ્જૈનમાં મહાકાલ મંદિર પણ છે. આ રીતે એક જ શહેર ઉજ્જૈનમાં ભગવાન શિવ અને માતા શક્તિ બંનેના સ્થાન છે.

2000 વર્ષ જૂનો છે આ દીવો 
હરસિદ્ધિ મંદિર પાસે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યનું પણ સ્થાન છે. માતા હરસિદ્ધિ રાજા વિક્રમાદિત્યની આરાધ્ય દેવી હતી. આ હરસિદ્ધિ માતાના મંદિરની એક મહત્વની વિશેષતા અહીંના દીપમાળાઓ છે, જે 2000 વર્ષ જૂના છે. હરસિદ્ધિ માતાના મંદિરની બહાર 1011 દીપમાળાઓ છે જે 51 ફૂટ ઊંચા છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં કરવામાં આવેલી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે અને મનોકામના પૂર્ણ થયા પછી ભક્તો આ દીવાઓ પ્રગટાવે છે.

15 હજાર રૂપિયાનો આવે છે ખર્ચ
આ દીવાઓ પ્રગટાવવા માટે ભક્તોએ લાંબી રાહ જોવી પડે છે. ઘણા મહીના પહેલા ભક્તો દીવા પ્રગટાવવા માટે બુકિંગ કરાવે છે. આ દીવાઓને પ્રગટાવવા માટે દરરોજ લગભગ 15,000 રૂપિયાનો ખર્ચ થાય છે. આ 1011 દીવા પ્રગટાવવા માટે 4 કિલો કપાસ અને 60 લિટર તેલની જરૂર પડે છે. જ્યારે, આ ઊંચા ઉંચા દીપ સ્તંભો પર બનેલા દીવાઓને પ્રગટાવવું સરળ હોતું નથી. તેમ છતાં 6 લોકો મળીને 5 મિનિટમાં આ 1011 દીવા પ્રગટાવી દે છે.

હરસિદ્ધિ મંદિરની પૌરાણિક કથા
શાસ્ત્રો અનુસાર માતા સતીના લગ્ન ભગવાન શિવ સાથે થયા હતા. પરંતુ રાજા દક્ષ પોતાની પુત્રીના લગ્નથી નાખુશ હતા અને પોતાના ઘમંડમાં ભગવાન શિવનું અપમાન કરતા રહ્યા. એક દિવસ રાજા દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું અને તમામ દેવી-દેવતાઓને આમંત્રણ આપ્યું પરંતુ ભગવાન શિવને આમંત્રણ ન આપ્યું. જ્યારે માતા સતીને ત્યાં પહોંચીને આ વાતની જાણ થઈ ત્યારે તે પોતાના પતિ શિવનું અપમાન સહન ન કરી શકી અને તેણે પોતાને યજ્ઞની અગ્નિમાં સમર્પણ કરી દીધું. જ્યારે ભગવાન શિવને આ વાતની જાણ થઈ તો તેઓ ક્રોધિત થઈ ગયા અને સતીના મૃતદેહને હાથમાં લઈને પૃથ્વીની પરિક્રમા કરવા લાગ્યા.

ભગવાન શિવને રોકવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને માતા સતીના શરીરના 51 ટુકડા કરી નાખ્યા. એવું માનવામાં આવે છે કે જ્યાં પણ માતા સતીના શરીરના ટુકડા પડ્યા હતા, ત્યાં શક્તિપીઠો બનાવવામાં આવ્યા. સતી માતાની કોણી ઉજ્જૈનમાં પડી હતી, જ્યાં હરસિદ્ધિ મંદિર આવેલું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news