Health Tips: આ 5 સમસ્યાઓની દવા છે સરસવનું તેલ અને હળદર, જાણી લો ઉપયોગ કરવાની રીત

Health Tips: આયુર્વેદમાં સરસવના તેલનો અને હળદરનો ઉપયોગ શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. સરસવના તેલમાં હળદર મિક્સ કરીને તેનો ઉપયોગ કરવાથી શરીરને ફાયદા મળી શકે છે. આ મિશ્રણ ત્વચા અને વાળ સંબંધિત સમસ્યા પણ દૂર કરી શકે છે. આજે તમને જણાવીએ સરસવના તેલમાં હળદર મિક્સ કરીને ઉપયોગ કરવાથી થતા ફાયદા વિશે. 

દુખાવો અને સોજા 

1/6
image

કોઈ સાંધામાં કે હાડકામાં દુખાવો કે સોજો રહેતો હોય તો સરસવના તેલને ગરમ કરી તેમાં હળદર મિક્સ કરી પ્રભાવિત ભાગ ઉપર તેને લગાડી માલિશ કરવી. ગણતરીની મિનિટોમાં દુખાવો અને સોજો દૂર થઈ જશે. 

ઈજા 

2/6
image

શરીરના કોઈ ભાગ પર ઇજા થઈ હોય તો સરસવનું તેલ અને હળદરની પેસ્ટ લગાડવી. આ પેસ્ટ લગાડવાથી ઘા જલ્દી ભરાઈ જાય છે.  બીજા થવાથી લોહી નીકળતું હોય તો સરસવના તેલમાં હળદર મિક્સ કરી લગાડવું તેનાથી લોહી નીકળતું બંધ થઈ જાય છે. 

હેલ્ધી સ્કીન માટે 

3/6
image

સરસવના તેલમાં હળદર મિક્સ કરીને લગાડવાથી ત્વચાને પોષણ મળે છે અને ત્વચાની સફાઈ અંદરથી થાય છે. તેનાથી ત્વચાનો રંગ નીખરે છે અને ખીલ સહિતની સમસ્યા દૂર થાય છે.   

શરદી ઉધરસ 

4/6
image

સરસવના તેલમાં હળદર મિક્સ કરીને લગાડવાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યામાં રાહત થાય છે. સરસવના તેલની તાસીર ગરમ હોય છે.. તેનો ઉપયોગ કરવાથી બંધ નાક ખુલી જાય છે અને શરદી ઉધરસમાં આરામ મળે છે. 

વાળ બને છે મજબૂત 

5/6
image

સરસવનું તેલ વાળને પોષણ આપવાનું કામ કરે છે અને હળદર ડેન્ડ્રફને દૂર કરે છે. આ મિશ્રણને વાળના મૂળમાં લગાડવાથી વાળ મજબૂત થશે અને હેર ફોલ તેમજ ખોડાની સમસ્યાથી મુક્તિ મળશે.

6/6
image