Zydus ની Virafin ને DCGI ની મંજૂરી, કોરોના દર્દીઓને સારવારમાં મળશે મદદ

કોરોના વાયરસ (Coronavirus) દર્દીઓની સારવાર ઝડપી બનાવવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ (DGCI) શુક્રવારે ઝાયડસ કેડિલાની વિરાફિન દવાના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી

Zydus ની Virafin ને DCGI ની મંજૂરી, કોરોના દર્દીઓને સારવારમાં મળશે મદદ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) દર્દીઓની સારવાર ઝડપી બનાવવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ (DGCI) શુક્રવારે ઝાયડસ કેડિલાની વિરાફિન દવાના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. આ દવા 18 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓની સારવાર માટે વાપરી શકાય છે.

7 દિવસમાં સ્વસ્થ થશે દર્દી
કંપનીએ દાવો કર્યો છે કે દવા લીધા બાદ 7 દિવસમાં 91.15 ટકા કોરોના દર્દીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવથી નેગેટિવ થઈ ગયો. તેના ઉપયોગથી કોરોના દર્દીઓને (Corona Patient) ઝડપથી સ્વસ્થ થવામાં મદદ મળે છે અને બીમારીને એડવાન્સ સ્ટેજમાં થતી જટિલતાઓથી બચાવી શકાય છે.

ઓક્સિજનની જરૂરિયાત થશે ઓછી
આ દવાને ભારતના 25 કેન્દ્રોમાં લગભગ 250 દર્દીઓ પર ટેસ્ટ કરવામાં આવી. આ દરમિયાન એવું જોવા મળ્યું છે કે, Pegylated Interferon Alpha 2b નો ઉપયોગ દર્દીઓને સપ્લીમેન્ટ ઓક્સિજનની (Oxygen) ઓછી જરૂરિયાત અનુભવી હતી. તેનો અર્થ એ છે કે, દવા રેસપિરેટરી ડિસ્ટ્રેસ અને નિષ્ફળતાને કંટ્રોલ કરવા માટે સક્ષમ છે, જે કોવિડ-19 દર્દીઓની સારવારમાં અત્યાર સુધીનો સૌથી મોટો એક પડકાર છે.

હજુ સુધી થઈ રહ્યો છે રેમડેસિવિરનો ઉપયોગ
ઉલ્લેખનીય છે કે, કોરોના દર્દીઓની સારવાર માટે દેશમાં અત્યાર સુધી રેમડેસિવિર (Remdesivir) દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે એક એન્ટિ-વાયરલ દવા છે, જે ઇબોલા મહામારી દરમિયાન માન્યતા મળી હતી. અહેવાલ મુજબ, આ દવા શરીરમાં વાયરસને (Virus) વધતા અટકાવે છે. જો કે, સરકારના જણાવ્યા મુજબ, રેમડેસિવિર જીવન બચાવવાની દવા નથી. રેમેડિસવીર પર ડબ્લ્યુએચઓ કહે છે કે તે ગંભીર પરિસ્થિતિમાં અસર કરતું નથી. દવાની ઘણી આડઅસરો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news