#ModiOnZee: બોરિયા બિસ્તરા બાંધવાના સવાલ અંગે PMનો જવાબ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2019ના પરિણામોના 2 અઠવાડીયા પહેલા જ Zee Newsને આપેલા ઇન્ટરવ્યુમાં તમામ સવાલોનાં મુક્તમને જવાબો આપ્યા હતા. તેમણે પૂર્વ વવડાપ્રધાન રાજીવ ગાંધીના ઉલ્લેખ મુદ્દે વિપક્ષ દ્વારા તેમના માટે ઉપયોગમાં લેવાઇ રહેલા અપશબ્દો અંગે પણ પોતાનું મંતવ્ય રજુ કર્યું હતું. 
#ModiOnZee: બોરિયા બિસ્તરા બાંધવાના સવાલ અંગે PMનો જવાબ...

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2019ના પરિણામોના 2 અઠવાડીયા પહેલા જ Zee Newsને આપેલા ઇન્ટરવ્યુમાં તમામ સવાલોનાં મુક્તમને જવાબો આપ્યા હતા. તેમણે પૂર્વ વવડાપ્રધાન રાજીવ ગાંધીના ઉલ્લેખ મુદ્દે વિપક્ષ દ્વારા તેમના માટે ઉપયોગમાં લેવાઇ રહેલા અપશબ્દો અંગે પણ પોતાનું મંતવ્ય રજુ કર્યું હતું. 

Zee Newsનાં એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી સાધેના શુદ્ધ રાજનીતિક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે 23 મેનાં રોજ દેશમાં ફરીથી ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યું કે, આ વખતે ભાજપને 2014થી વધારે સીટો મળશે. આ સમગ્ર ઇન્ટરવ્યુને તમે ઝી ન્યુઝ પર જોઇ શકો છો. 

વિપક્ષ દાવો કરી રહ્યું છે કે 23 મે બાદ વડાપ્રધાન બિસ્તરા પોટલા બાંધવા લાગશે 
જ્યારે વડાપ્રધાનને પુછવામાં આવ્યું કે, તમારો વિરોધ કરી રહેલા લકો કહી રહ્યા છે કે 23 મે બાદ પેકિંગ કરવા લાગશે. તે અંગે વડાપ્રધાને કહ્યું કે, વિરોધીઓ શું વિચારી રહ્યા છે તે અંગે હું ક્યારે પણ ધ્યાન નથી આપતો. હું પાક્કા વિશ્વાસ સાથે કહી શકું છું કે 2019માં ચૂંટણીમાં જનતાએ ભાજપ અને એન્ડીએને વધારે સીટો આપવાની તૈયારી કરી લીધી છે. હું તે જ વિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છું. વાત જ્યાં બોરિસા બિસ્તરા બાંધવાની છે તો હું તો દરેક કામ માટે તૈયાર છું. જ્યાં સુધી સપના જોવાની વાત છે તો વિરોધીઓને જોવા દો. તેમનાં સપના તોડવા ન જોઇએ. 

લોકસભા ચૂંટણી 2019 (Loksabha election 2019)નું પરિણામ આવ્યાનાં બરોબર બે અઠવાડીયા પહેલા વડાપ્રધાન મોદીએ (Zee News)ને ખાસ ઇંટરવ્યું આપ્યો હતો. આ ઇંટરવ્યું દરમિયાન વડાપ્રધાન મોદીએ ચૂંટણી મુદ્દાઓ અને 23 મેનાં દિવસે આવનારા પરિણામ સંબંધિત સવાલોનાં નિસંકોચ જવાપ આપ્યા. તેમને જ્યારે પુછવામાં આવ્યું કે, 23 મે બાદ શું થશે, તો તેમણે કહ્યું કે તે તો દેશની જનતા અને ઇવીએમ પણ કહેશે.

શું ગત્ત ચૂંટણી કરતા વધારે સીટો આવશે
બધા લોકો 2014માં કહી રહ્યા હતા કે મોદી લહેર નથી. પરંતુ પરિણામ બાદ કોઇએ નથી પુછ્યું. તે અંગે 23 બાદ ચર્ચા કરવામાં આવે તો જ વધારે સારુ રહેશે. 
મમતાનો PMને જવાબ, 42 MLAમાંથી કોઇ પણ કોલ માફીયા નિકળશે તો બધાને પરત લઇશ
ઇવીએમમાં સેટિંગના આરોપો મુદ્દે તમે શું કહેશો
દેશની તમામ સંસ્થા સ્વતંત્રતાથી કામ કરી રહી છે. અમે બધાને સાથે લઇને આપણી લોકશાહીનું બ્રાન્ડિંગ કરવું જોઇએ. તેના બદલે આ લોકો લોકશાહીને બદનામ કરી રહ્યા છે. 

શું તમારા અને તમારા વિરોધીઓ માટે સમાન માપદંડ છે.
મારા જીવનમાં કોઇ ગુનો નથીક ર્યો. અજાણતામાં કંઇ થઇ ગયું હોય તો મને નથી ખબરી. મારા પર પહેલીવાર 2014માં ફરિયાદ દાખલ તઇ હતી. હું અમદાવામાં મતદાન કરવા ગયો હતો. મારી વિરુદ્ધ ખોટો કેસ બનાવીને ફરિયાદ દાખલ કરાવાઇ. તમે પરેશાન આશ્ચર્યચકીત રહી જશો કે હું વારાણસી ચૂંટણી લડવા ગયો, તે સમયે જે અધિકારીઓ હતા, જ્યારે હું રોડ શો કરીને ઉમેદવારી નોંધાવવા ગયો તો પરમિશન આપી પરંતુ રોડ શો બાદ મારી પરવાનગી રદ્દ કરી દેવામાં આવી. એક પણ વખત હું વારાણસીના લોકોને ન મળી શક્યો પરંતુ મે કોઇના પર આરોપો નહોતો લગાવ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news